Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કોસંબા સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતા-પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં સુરત ગ્રામ્ય પોલીસની પ્રશંસનિય કામગીરી



સુરત ગ્રામ્યના ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનિય કામગીરી બદલ રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે અપાશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય

(જી.એન.એસ) તા. 17

સુરત,

સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના ગુનામાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કડક સજા અપાવી પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય અપાવવામાં પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં બારીકાઇથી તપાસ કરી ગુનેગારોને કડક સજા અપાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસે કરેલી પ્રશંસનિય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ૬૯ પોલીસ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે આપવાની જાહેરાત કરી છે.

સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં તા.૮મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ એક નિર્દોષ સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ગુનાને અત્યંત ગંભીરતા અને સંવેદનશીલતાથી લઇને સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધમાં તમામ મજબૂત પુરાવાઓ એકત્ર કરીને તા.૨૪મી ઓક્ટોબરે એટલે કે માત્ર ૧૫ જ દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતી.

નામદાર કોર્ટ દ્વારા સોમવારે આ ગુનાના આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવામાં આવી છે. પીડિતા તથા તેના પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને તપાસ કરી છે તેવા સુરત રેન્જ ડી.આઇ.જીશ્રી થી લઇને લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સુધીના કુલ ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે આપવા તથા પ્રશંસાપત્ર આપવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જાહેરાત કરી છે.

संबंधित पोस्ट

નિવૃત્ત થઈ રહેલા રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભકામનાઓ પાઠવી

Gujarat Desk

કારનું કવર ફાડી નાખવા જેવી બાબત પર એક શખ્સે અબોલા શ્વાનને આડેધડ મારી પતાવી દીધું: જીવ દયાપ્રેમીએ ફરિયાદ નોંધાવી

Karnavati 24 News

સૌથી મોટા સમાચાર કોરોના ને લઈને આ નવી જાહેરાત કરવામાં આવી, જાણો શું કરાઈ આગામી લહેરને લઈને

Karnavati 24 News

વિશ્વનો ભારત પર વિશ્વાસ મજબૂત, R&Iએ ભારતનું સોવરિન રેટિંગ અપગ્રેડ કર્યું…!!

Gujarat Desk

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin

પ્રત્યેક પરિવાર સ્વચ્છતાનો સંકલ્પ લે, શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk
Translate »