Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કારનું કવર ફાડી નાખવા જેવી બાબત પર એક શખ્સે અબોલા શ્વાનને આડેધડ મારી પતાવી દીધું: જીવ દયાપ્રેમીએ ફરિયાદ નોંધાવી

રાજકોટ શહેરના ભાવનગર રોડ પર પટેલ વાડી પાસે આવેલા ફખરી પાર્કમાં કારના કવર ફાડી નાખતા તે બાબતનો ખાસ રાખી એક શખસે શ્વાન અને ગલુડિયાને ધોકાના ઘા ફટકાર્યા હતા જેમાં શ્વાનનું મોત થયું હતું.જેનો પીએમ રિપોર્ટ આવી ગયા બાદ આ બાબતે જીવદયા પ્રેમીની ફરિયાદ પરથી પોલીસે આ શખસ સામે પશુ પ્રત્યે ક્રૂરતા આચરવાની કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે પુષ્કરધામ એવન્યુ 2 માં રહેતા જીવદયાપ્રેમી ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ધિયાડ દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગર રોડ પર પટેલ વાડીની સામે ફખરી પાર્ક શેરી નંબર ત્રણ પાસે રહેતા મુરતુજા વોરાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ,ગત તારીખ 3/7 ના રોજ તેમના જીવદયા પ્રેમીના એક સોશિયલ ગ્રુપમાં ફખરી પાર્ક પાસે એક નાનું ગલુડિયું તથા કૂતરાને કોઈએ ધોકા વડે મારમાર્યાનો મેસેજ મળ્યો હતો જેથી તેમણે અહીં પહોંચી તપાસ કરતા ગલુડિયું ઇજાગ્રસ્ત હાલતમાં હોય જ્યારે શ્વાનનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું બાદમાં તેમણે અહીં આસપાસ તપાસ કરતા એવું માલુમ પડ્યું હતું કે અહીં રહેતા મુરતુજા વોરાએ તેમની કારનું કવર કૂતરાએ ફાડી નાખ્યું હોય જેથી તેનો ખાર રાખી કુતરા અને ગલુડિયાને ધોકાના ઘા ફટકાર્યા હતા. બાદમાં આ મામલે શ્વાનનો પીએમ રિપોર્ટ આવી જતા અને તેમાં મૃત્યુનું કારણ બોથડ પદાર્થના ઘા ફટકારવાથી થયું હોય તેવું સામે આવતા આ મામલે જીવ દયાપ્રેમીએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 428 તથા પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

संबंधित पोस्ट

દીપડાનો આતંક યથાવત, સરડોઇ ગામની સીમમાં વધુ બે પશુઓનું મારણ કરતા પશુપાલકો સહીત લોકોમાં ફફડાટ

खेल विभाग पंजाब को खेलों में नंबर वन राज्य बनाने के लिए प्रतिबद्ध : राज कमल चौधरी

Admin

દાહોદ જિલ્લાના લીમખેડા ડિવીઝનના પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવેલ આશરે ૩ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે નાશ કર્યાેં છે.

Karnavati 24 News

સુરતના ડુમસમાં ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા,કાકાની નજર સામે જ ૧૭ વર્ષની ભત્રીજી ડૂબી જતાં નીપજ્યું મોત.!

Karnavati 24 News

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર K.N. હાઈસ્કૂલમાં શાળાના જ છાત્રોને એડમિશન ન મળતાં રોષ.

Karnavati 24 News

એકમ ક્સોટીનું પ્રશ્નપત્ર વાય૨લ થયાની ઘટના સત્યથી વેગળી : શિક્ષણ બોર્ડ

Karnavati 24 News