Curd Will Cure Tension: વર્તમાન સમયમાં લોકો ટેન્શન દૂર કરવા માટે ઘણા ઉપાયો કરે છે, પરંતુ ઇચ્છિત પરિણામ મળતા નથી. કૌટુંબિક વિખવાદ, રૂપિયાની અછત, પ્રેમ અથવા મિત્રતામાં છેતરપિંડી, ઓફિસની સમસ્યાઓ સહિતના ઘણા કારણોસર વ્યક્તિ ડિપ્રેશનમાં આવી શકે છે. આ અંગે ફેમસ ડાયટિશિયન ડૉ. આયુષી યાદવ (Dr. Ayushi Yadav) એ જણાવ્યું કે, જો તમે ઘરે ઉપયોગમાં લેવાતી સામાન્ય ડેરી પ્રોડક્ટનું નિયમિત સેવન કરશો તો તમારું ટેન્શન દૂર થઈ જશે.
દહીંથી મૂડ સુધરે છે
દૂધ અને તેમાંથી બનેલી મોટાભાગની વસ્તુઓ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીંનું સેવન કરવાથી તમારો મૂડ સારો થઈ શકે છે. વાસ્તવમાં, તેમાં લેક્ટોબેસિલસ હોય છે જે માનવ અનુકૂળ બેક્ટેરિયા છે, તે આપણા શરીરમાં માઇક્રોબાયોમના પાત્રને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ડિપ્રેશનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સૌથી સારી વાત એ છે કે તમારે આ માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી, 250 ગ્રામ દહીં 20 થી 25 રૂપિયામાં મળે છે.
દહીંમાં મળતા પોષક તત્વો
દહી (Curd) માં પ્રોટીન, વિટામિન B-2, વિટામિન B-12, કેલ્શિયમ, રાઇબોપ્લેવિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્ત્વના પોષક તત્વો જોવા મળે છે. દહીંને કારણે શરીરમાં હિમોગ્લોબિન વધે છે. દહીં સામાન્ય રીતે ખાંડ અને મીઠું સાથે ખાવામાં આવે છે. આ દૂધની બનાવટ ઘરે તૈયાર કરી શકાય છે અને તેના માટે વધારે રૂપિયા પણ ખર્ચ કરવા પડતા નથી.
દહીંથી તણાવ દૂર થાય છે
આજકાલ ઘણા લોકો ડિપ્રેશનના શિકાર થઈ ચૂક્યા છે, કારણ કે તેઓ સ્ટ્રેસને મેનેજ કરી શકતા નથી, દવાઓ દ્વારા તેની યોગ્ય સારવાર કરી શકાતી નથી, પરંતુ જો તમે તમારી ડેલી ડાઈટમાં દહીં (Curd) નો સમાવેશ કરો છો, તો ટેન્શન ઘણી હદ સુધી ઓછી થઈ જશે અને દિગાગ પણ તેજ થઈ જશે. તેના માટે દરરોજ એક વાટકી દહીં પૂરતું છે, જો કે ધ્યાન રાખો કે બપોરે દહીં ખાવાનું ટાળો.