સ્તનપાન દરમિયાન પિસ્તાનું સેવન શિશુમાં આયર્નની પૂર્તિ કરે છે. જો તમે રાત્રે સૂતા પહેલા પિસ્તા ખાઓ છો, તો તે તૃષ્ણાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં, તેમાં ફાઇબર સારી માત્રામાં હોય છે. પિસ્તામાં રહેલ પ્રોટીન મગજને સિગ્નલ મોકલે છે કે શરીરમાં પૂરતી ઉર્જા છે અને તમારે કંઈપણ ખાવાની જરૂર નથી. નિયમિત સવારે ખાલી પેટે 4-5 પિસ્તાનું સેવન કરવું જોઈએ. પિસ્તાનું સેવન કરવાથી હૃદય મજબૂત બને છે.જો તમે ડાયાબિટીસના દર્દી છો તો પિસ્તાનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આંખોનુ તેજ વધારે છે,સ્થૂળતામાં મદદરૂપ થાય છે,હાડકાં મજબૂત કરે છે,કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે, બળતરામાં મદદરૂપ થાય છે,રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વાળ સ્કિન ને લગતી સમસ્યા પણ દૂર થાય છે. હવે સમજાયું, કેમ પિસ્તા આટલા મોંઘા છે? કેમ કે શરીર માં જાદુ કરી સ્વાસ્થ્ય સુધારે છે. વળી આ નમકીન સ્વાદ વાળા પિસ્તા તો લાજવાબ લાગે છે. તો આજ થી જ પાચન શક્તિ નબળી હોય તો રાત્રે પાણી માં પલાળી રાખી પિસ્તાનું સેવન કરીએ. પિસ્તાની અસર ગરમ છે. તેથી, ઉનાળાની ઋતુમાં તેને વધુ ન ખાઓ.