સ્થૂળતાથી પીડિત લોકો મોટાભાગે તેમના શરીરને જોઈને અફસોસમાં સમય પસાર કરે છે. સ્થૂળતા એક ગંભીર રોગ છે. તે અન્ય ઘણા રોગોનું કારણ પણ છે. વધતા વજનના કારણે આપણે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની શકીએ છીએ. સ્થૂળતાની સમસ્યા હવે દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. નાના બાળકો પણ આ રોગનો ભોગ બને છે. વજન વધવા દરમિયાન, લોકો ઘણીવાર તેને ઘટાડવાની રીતો શોધવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે એક સરળ ઉપાય લાવ્યા છીએ.
ત્રિફળા ત્રણ ફળોને ભેગા કરીને બનાવવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. ત્રિફળાને ઔષધિઓમાં પણ ગણવામાં આવે છે. દરરોજ ત્રિફળાનું સેવન કરવાથી વધતું વજન ઓછું કરી શકાય છે. તેમાં ઘણા એવા ગુણ છે જે આપણી ચરબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
કેવી રીતે સેવન કરવું
વજન ઘટાડવા માટે ત્રિફળાને મધમાં ભેળવીને હૂંફાળા ઉકાળામાં લો.
ત્રિફળાના ચુર્ણને પાણીમાં સારી રીતે ઉકાળીને, મધમાં ભેળવીને લો.
ત્રિફળાના ફાયદા
- રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
- બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
- ચામડીના રોગો મટાડવામાં ફાયદાકારક છે
- કબજિયાત થી રાહત