Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

ભાજપે પોતાની કોર ટીમની જાહેરાત કરી છે. જેમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે. જે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખશે. આ કોર કમિટી ગ્રુપમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, રત્નાકર, જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડાનો સમાવેશ, શંકર ચૌધરી, ગણપત વસાવા, હર્ષ સંઘવી, રંજન પટેલનો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા રચના કરાયેલી કોર કમિટીના સભ્ય પાર્ટી લક્ષી નિર્ણય લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોઈપણ નિર્ણય લેવા માટે કારોબારી બોલાવવી પડતી હતી. હવે કોર કમિટીમાં નિર્ણય લઈ કારોબારીમાં મજૂરી લેવાની રહેશે. અગાઉ કોઈ પણ નિર્ણય માટે 40 સભ્યની સહમતી જરૂરી હતી. હવે 12 સભ્યની સહમતીથી પાર્ટીલક્ષી નિર્ણય લઈ શકાશે. *કોર કમિટીની રચના બાદ ભાજપે નવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની પણ જાહેરાત કરી હતી. જેમાં 14 લોકોનો કરાયો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી નવી પાર્લામેન્ટરી બોર્ડમાં CM ભૂપેન્દ્ર પટેલનું નામ પણ ઉમેરાયું છે. આ સાથે જૂના તમામ નામો યથાવત રખાયા છે. તેમજ મહિલા મોરચાના દીપિકા સરડવાનો સમાવેશ કરાયો છે

संबंधित पोस्ट

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

કોંગ્રેસની રાજગીર છાવણી: ઉચ્ચ જાતિના નેતાઓને ન ગમ્યું સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા, રાજેશ રામના પ્રમુખ બનવામાં અનેક કાંટા

Karnavati 24 News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

Karnavati 24 News

 સુરતના ગોદાવાડી ગામે પ્રગતિશીલ યુવા ખેડૂતોએ અપનાવી મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ, બે એકર જમીનમાં 10 પાક ઉગાડી 10 લાખની આવક ઊભી કરી

Karnavati 24 News

યશવંત સિંહા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારઃ TMCમાંથી રાજીનામું, કહ્યું- હું મોટા હેતુ માટે અલગ થવા માંગુ છું

Karnavati 24 News