Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

અમદાવાદ: બેવડી ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો! રાજ્યમાં કોરોનાના કેસ પણ 100ને પાર, જાણો ડોક્ટર્સે શું આપી સલાહ?

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ, હોળીના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, માવઠું અને કરા પડ્યા હતા. આથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુ સાથે રોગચાળામાં પણ વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કારણે છેલ્લા કેટલાક દિવસથી વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે. સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી રહી છે. ઓપીડીમાં સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળી રહ્યા છે.

માહિતી મુજબ, બેવડી ઋતુને ધ્યાને રાખી ડોક્ટર્સ દ્વારા પણ લોકોને સ્વાસ્થ્ય અંગે વધુ કાળજી રાખવા સૂચન કરાયું છે. સાથે જ એન્ટિબાયોટિક્સ દવાનો ઉપયોગ ટાળવા અને ડોક્ટરની રૂબરૂ મુલાકાત લેવા પણ સલાહ આપવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, સોમથી શુક્રમાં સરેરાશ 3800ની ઓપીડી છે. ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના વધુ કેસ જોવા મળી રહ્યા છે, જેમાં કફ, કોલ્ડ, ફીવર, ખાંસી સહિતની બીમારી વધુ જોવા મળી રહી છે. આ સાથે કોરોના, h1n1ના લક્ષણો પણ દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વાયરલ ઇન્ફેક્શન થાય તો તકેદારી રાખવી જરૂરી છે, જેથી બીજાને ચેપ ન લાગે.

ગુજરાતમાં અત્યારે કોરોનાના 112 કેસ એક્ટિવ 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, છેલ્લા 20થી 25 દિવસમાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં અત્યારે કોરોનાના 112 કેસ એક્ટિવ છે, જેમાં અમદાવાદમાં જ સૌથી વધુ 71 કેસ છે. ત્યાર બાદ રાજકોટમાં 13, વડોદરામાં 9, સુરતમાં 6, અમરેલી-ભાવનગર-સાબરકાંઠા-ગાંધીનગરમાં 2-2-2-2, બોટાદ-મહેસાણામાં 1-1, પોરબંદર અને જૂનાગઢમાં 1-1 અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે.

संबंधित पोस्ट

ગાંધીનગર: વધતી જતી મોંઘવારી સામે વિધાનસભામાં કોંગ્રેસનો હલ્લાબોલ, બેનેરો અને સૂત્રોચ્ચાર કરી સરકારે ઘેરી

Admin

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે આજે દિલ્હીના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ

Karnavati 24 News

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

Admin

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Karnavati 24 News

ગાંધીનગર જિલ્લામાં તા. ૩૦મી જાન્યુઆરી થી તા. ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાન યોજાશે

Admin

ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે

Admin