Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જવાની ઘટના બાદ આજે ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા

ગઈકાલે મહેસાણામાં કોંગ્રેસની સભા દરમિયાન સભાની અંદર લોકોની વચ્ચે આખલો ઘુસી જવાની ઘટના બની હતી. આ ધટના બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે.

ઢોર પકડનાર ટીમને નોટીસ પણ મોકલવામાં આવી છે. સભા પૂરી થઈ ત્યાં સુધી ઢોર પકડવાની ટીમ કેમ ઊભી ન રહી? તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. ચીફ ઓફીસરો આ સમગ્ર મામલે બ્રાન્ચ ઓફિસર પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ પણ માંગ્યો છે.

વિપક્ષના નેતાએ કહ્યું કે સીએમ અશોક ગેહલોતની પ્રોટોકોલ સિસ્ટમમાં ખામી છે. ગઈકાલે સભાની અંદર અચાનક જ સભામાં આખલો ઘુસી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે આ બળદને મોકલ્યો છે.

રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મહેસાણા જિલ્લામાં આ બીજીવાર આવું બન્યું છે. જેમાં અગાઉ ચૂંટણીની તારીખો પહેલા જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના કાર્યક્રમનું આયોજન હતું ત્યારે પણ પશુ તેમના કાર્યક્રમમાં ઘુસી આવ્યું હતું અને તેના કારણે નિતીન પટેલના ધૂંટણમાં ઈજા પહોંચી હતી ત્યારે કોંગ્રેસની સભામાં પણ આ પ્રકારે આખલો ઘુસવાની ઘટના બની હતી. જેમાં કોઈ પર હુમલો કર્યો હતો તો મોટી મુશ્કેલી સર્જાઈ શકી હોત.

संबंधित पोस्ट

અરુણાચલ પ્રદેશ: સીએમ પેમા ખાંડુના ભાઈનું નિધન, બીજેપી ધારાસભ્ય હતા જંબે તાશી

Admin

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

उत्तराखंड सीटों पर मतगणना जारी, सामने आ रहे रुझानों में भाजपा इतनी सीटों पर आगे

Karnavati 24 News

‘કેટલાક દેશો અને તેમની એજન્સીઓએ આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ બનાવી છે’, અમિત શાહે પાકિસ્તાન પર સાધ્યું નિશાન

Admin

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News