Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દિલ્હી AIIMSમાં શરુ થશે પેશન્ટ કેર ડેશબોર્ડ, દર્દીઓને સરળતાથી મળી શકશે આ મહત્ત્વપૂર્ણ માહિતી

દિલ્હી સ્થિત AIIMS એ તેના દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે દર્દીઓને લગતી દરેક માહિતી AIIMSની વેબસાઈટ પર જ ઉપલબ્ધ થશે, AIIMSના ડાયરેક્ટર પ્રોફેસર એમ શ્રીનિવાસે આ અંગે સૂચનાઓ જારી કરી દીધી છે. અગાઉ ઈમરજન્સીમાં પથારીની ઉપલબ્ધતા ઓનલાઈન કરવામાં આવી હતી. AIIMS બેડ, OT, લેબ ટેસ્ટ સાથે સંબંધિત માહિતી 25 ડિસેમ્બરથી વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

કોઈપણ વ્યક્તિ info.aiims.edu પર જઈને આ માહિતી જોઈ શકે છે. 25 ડિસેમ્બરે નેશનલ ગુડ ગવર્નેન્સ ડેના દિવસથી, આ વેબસાઇટ પર તમામ માહિતી ઉપલબ્ધ થશે. આ અંતર્ગત જનરલથી લઈને પ્રાઈવેટ વોર્ડ સુધીના બેડનું પણ સ્ટેટસ મળી શકશે. સાથે જ રીયલ ટાઇમ ઇમરજન્સી પેશન્ટ એડમિશન અને વેઇટિંગના અપડેટ્સ પણ ઉપલબ્ધ હશે. ઓપીડીમાં આવનારા દૈનિક અને મહિનાનો ડેટા હશે. સાથે જ કેટલા ફોલો-અપ દર્દીઓ છે, તેની પણ માહિતી મળશે.

એક્સ રે, અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન, એમઆરઆઈ, પીઈટી સ્કેન, સ્પેકટ સ્કેન વગેરે ટેસ્ટના દૈનિક અને મહિના મુજબના આંકડા પણ વેબસાઈટ પર આપવામાં આવશે. જેટલા પણ લેબ ટેસ્ટ થશે તેની માહિતી પણ વેબસાઈટ પર દરરોજ અને માસિક ધોરણે અપડેટ રહેશે. આ સાથે, રેડિયોથેરાપીનું પણ સ્ટેટસ હશે. તેમજ તમામ AIIMSમાં કેટલી ઓટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ માહિતી પણ વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. જ્યારે ડે કેર હેઠળ થનારી એન્ડોસ્કોપી, કીમોથેરાપીનું સ્ટેટસ પણ વેબસાઈટ પર હશે.

संबंधित पोस्ट

રાહત / આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

Karnavati 24 News

પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાઃ 1.50 રૂપિયામાં મહિને 2 લાખ રૂપિયાનો વીમો મળશે, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

Karnavati 24 News

દેશમાં કોરોના કેસો ઘટ્યા, 30,615 કેસો નોંધાયાજ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા

Karnavati 24 News

રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો

Karnavati 24 News

અમરનાથ યાત્રાના રૂટ પર એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, શ્રીચંદ ટોપમાં સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ

गणपति स्थापना कैसे करनी चाहिए। किन बातो का ध्यान रखना चाहिए।

Karnavati 24 News