Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વાગરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પાલેજ ખાતે મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.

પાલેજ ગામની વર્ષો જૂની મીઠા પાણીની સમસ્યા હલ થઈ

 
ધારાસભ્ય અરુણસિંહ રણા ના હસ્તે પાણીની યોજનાનું લોકાર્પણ
 
હવે પાલેજના 22000 લોકોને પીવાનું મીઠું પાણી મળશે
 
વાગરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પાલેજ ખાતે મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે. મીઠા પાણીની યોજનાના લોકાર્પણ પગલે પાલેજની વર્ષો જૂની પાણીની સમસ્યા હલ થઈ છે. હવે ગામના 22000 લોકોને પૂરતા પ્રમાણમાં મીઠુ પાણી મળશે.
 
પાલેજના ગ્રામજનો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા હતા. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના માર્ગદર્શન હેઠળ સરપંચ રમણભાઈ વસાવા, ડે. સરપંચ શબ્બીરખાં પઠાણ અને જિલ્લા પંચાયત સભ્ય મલંગખાં પઠાણના પ્રયાસોથી પાલેજની 25 સોસાયટીઓની પાણીની સમસ્યા હલ થઈ હતી. જેના પગલે ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની હાજરીમાં પાણીની યોજનાનું લોકાર્પણ થયું હતું. 
 
લોકાર્પણ સમારોહમાં નવરાત્રી નિમિત્તે હિન્દૂ કન્યાઓને ચણીયાચોળી અને મહિલાઓને સાડીઓનું વિતરણ કરાયું હતું. હકડેઠઠ માનવ મેદનીને સંબોધતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ પાલેજના ગ્રામજનોએ તેમનામાં મુકેલા વિશ્વાસને નિષ્ફળ નહિ જવા દે તેવી ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે ખોટા વચનો આપતો નથી, ભાગલા પડાવતો નથી. ભાજપનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. આ સૂત્રને સાર્થક કરવા વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કામ કર્યું છે. માળખાગત વિકાસ કર્યો છે. અને આવનારા થોડા દિવસોમાં રસ્તાઓના કામો શરૂ થશે.

ધારાસભ્યએ પાલેજનો નકશો બદલવા તળાવના બ્યુટીફીકેશ માટે ખાતરી આપી હતી. સાથે આવનારા થોડા જ દિવસોમાં પાલેજ ગામા ગેસ લાઈનની સિવિધા પણ મળશે તેવી જાહેરાત કરતા જનમેદનીએ તાળીઓના ગડગડાટથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. 
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય માલનગખાં પઠાણ, સરપંચ રમણભાઈ વસાવા, ડે. સરપંચ શબ્બીરખાં પઠાણ, ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, જિલ્લા મંત્રી નિશાંત મોદી, ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, જયેશ સોજીત્રા તથા ગુજરાત હજ કમિટીના ડિરેકટર મુસ્તુફાભાઈ સહિત આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

 કપટનીતિની ગંદકીથી ખડબદતા રાજકીય પક્ષના રાજકારણીઓ ગ્રામ પંચાયતને કેમ રાજકીય રંગે રંગે છે????

Karnavati 24 News

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News

Testing Article Test Article Test Article Test Article Test Article

યુપીમાં યોગી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ : PM મુખ્ય મહેમાન, 25 કેન્દ્રીય મંત્રી, 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત

Karnavati 24 News

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News