Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

યુપીમાં યોગી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ : PM મુખ્ય મહેમાન, 25 કેન્દ્રીય મંત્રી, 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો ભવ્યાતિ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ આજે લખનૌમાં એકના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે યોજવામાં આવનાર છે ત્યારે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત 25 કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. આવો ભવ્ય સમારોહ ક્યારેક યોજાયો હશે ઉત્તરપ્રદેશની અંદર.

કેમ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ, હરિયાણા, મણિપુર, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આ સાથે સાથે આ સાથે યોગ ગુરુ બાબા રામદેવ અને મુખ્ય મઠોના સંતો-મહંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત લખનૌના તમામ રસ્તાઓ અને ચોકડીઓ કેસરી રંગમાં રંગાયેલા જોવા મળે છે. શપથ ગ્રહણ સંબંધિત મોટા હોર્ડિંગ્સ, બેનરો અને ધ્વજ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. શહેરના 130 ચોક અને મુખ્ય માર્ગો પર લાઈટીંગ કરવામાં આવી રહ્યું છે.

ચાર રાજ્યની અંદર બીજેપીએ ભવ્ય જીત મેળવી છે ત્યારે બીજેપી શાસિત રાજ્યો નો રાજ્યાભિષેક એટલે કે સીએમ ની તાજપોશી એક પછી એક થઈ રહી છે ઉત્તરાખંડમાં સીએમની નિયુક્તિ બાદ યુપીમાં યોગી આજે સીએમ પદના શપથ લેશે

संबंधित पोस्ट

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

Karnavati 24 News

અમરેલી જિલ્લામાં સક્રિય લુંટારૂ ગેંગને જેલ કરવા ધારાસભ્ય પરેશ ધાનાણીની માંગ

Karnavati 24 News

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

Karnavati 24 News

In publisher my content responsive select all and download option m

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ

Karnavati 24 News