Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચારરાજકારણ

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ચાર જિલ્લામાં ગઈકાલે પ્રવાસ તેમનો યોજવામાં આવ્યો હતો ત્યારે આજે તેઓ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પ્રચાર મેદાને ઉતરશે. પીએમ મોદીની ગઈકાલે મોટી સભાઓ સૌરાષ્ટ્ર્થી લઈને દાહોદ તેમજ વડોદરા સહીતના જિલ્લાઓમાં યોજવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ ગુજરાતની ચૂંટણીની કમાન પોતાના હાથમાં લીધી છે.  ત્યારે PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે તેઓ ગઈકાલની જેમ આજે પણ 4 જિલ્લામાં પ્રચાર કરશે. પાલનપુર, અરવલ્લીના મોડાસા, અમદાવાદના દહેગામ અને બાવળામાં તેઓ આજે વિશાળ જનસભાને સંબોધન કરશે.

વડાપ્રધાનની સાથે સાથે આજે ભાજપના અન્ય સ્ટાર પ્રચારકો પણ ભાગ લેશે. પરંતુ પીએમ મોદીની પ્રચારની મહત્વની આ સભાઓ રહેશે. તેઓએ 19 નવેમ્બરથી બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. ગઈકાલે પીએમ મોદીની મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિશાળ જાહેર સભાઓ યોજાઈી હતી જ્યાં તેઓ આગવી શૌલીમાં સંબોધન કરતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ અગાઉની જેમ ફરી એક નારો પણ તેમની જનસભામાં લોકો સમક્ષ છેડ્યો છે તેઓ ગઈકાલે અબકી બાર કહેતા જ લોકોએ મોદી સરકારના નારા લગાવ્યા હતા. પીએમ મોદીની સાથે સાથે આજે કેન્દ્રીય મંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોની સીએમ પણ મેદાને ઉતરશે.

संबंधित पोस्ट

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

નવજોત સિંહ સિદ્ધુની હાર બાદ અર્ચના પુરણ સિંહ કેમ ટ્રેન્ડમાં છે?

Karnavati 24 News

મણીનગર BRTS ટ્રેક માં કાર ચાલાક નો ગમખ્વાર અકસ્માત,

Karnavati 24 News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

વિધાનસભા ગૃહ શરૂ થવાની સાથે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો, આ મામલે કર્યો હોબાળો

Karnavati 24 News

 રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે સીંગવડ અને લીમખેડા ખાતે રૂ. ૨૭ કરોડથી વધુના શૈક્ષણિક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

Karnavati 24 News