Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશરાજકારણ

આમ આદમી પાર્ટીના મહિલા નેતા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ, સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ-૨ સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેવાર ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ છે. રંજન બેને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. નોંધનિય છે કે, કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન છે. આમ વિધાનસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી તૂટવાની શરૂ થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈ કાલે જ સુરતમાં હતા અને એવાં સમયે જ રંજન બેને પાર્ટી છોડતા આપને મોટો ઝટકો લાગ્યો છે.

મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે નરેશ પટેલે આપ્યું નિવેદન ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાજરી આપી હતી. નોંધનિય છે કે, વાર્ષિક સાધારણ સભા સમયે 75 બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ચેક આપવામાં આવ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીમલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. લેહુવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને કડવા પાટીદાર સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

Karnavati 24 News

ભારતીય જનતા પાર્ટી ના રામોલ હાથીજણ બૂથ ઇન્ચાર્જ ચિરાગ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત

Karnavati 24 News

ચીનનું જહાજ શ્રીલંકા પહોંચતા ભારતે જાસૂસીની આશંકા વ્યકત કરી હતી

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

ભારત જોડો યાત્રા : પદયાત્રામાં સામેલ કોંગ્રેસના ચાર કાર્યકરોને કરંટ લાગ્યો

Admin

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

Karnavati 24 News