Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાવનગરમાં નકલી ઈનવોઈસ અને ક્વોટેશન બનાવી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી



(જી.એન.એસ) તા.૧૦

ભાવનગર,

28 શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં લઘુ ઉદ્યોગ શરૂ કરવા લઘુ ઉદ્યોગકારોને નાણાકીય સહાય મળે તે માટે સરકારની વિવિધ યોજના, કાર્યક્રમ અંતર્ગત મળતી સબસીડી કે લોનનો બેંક ઓફ બરોડા ની મોખડાજી સર્કલ બ્રાંચમાં દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બિલોની મદદથી છેતરપિંડી કરવામાં આવી છે. લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આર્થિક સહાય આપવા કેન્દ્ર સરકાર PM એમ્પલોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ, PM મુદ્રા યોજના અને બાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ યોજનાનો દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને નકલી ઈનવોઈસ બિલો રજૂ કરી સરકારી યોજનાનો ગેરકાયદેસર લાભ લઈ સરકાર સાથે રૂપિયા 1.01 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડી કરનારાઓ બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન ક્રેડિટ ઓફિસર, તત્કાલિન બ્રાંચ મેનેજર અને તેના સાથીઓ સહિત 28 શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે ફરિયાદ મુજબ 2023 નાણાકીય વર્ષમાં બેંક ઓફ બરોડાની બ્રાંચનું ઓડિટ થયું હતું. જેમાં લોન લેનારાઓએ બનાવટી ઈનવોઈસ બિલો રજૂ કરી નાણાકીય સહાય મેળવી હતી. તેમજ અરજીમાં ધંધાના સ્થળે મશીનરી કે ધંધાનું સ્થળ નહીં મળી આવતા શંકા ઊભી થઈ હતી. અનુસંધાને 24 જેટલા લાભાર્થીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાંથી 10 લોકોએ નોટિસ આપ્યાથી લોન ભરપાઈ કરી દીધી હતી, પરંતુ અન્ય લાભાર્થીઓએ લોન ભરી નહીં. રૂપિયા 10135341નું મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બાદમાં મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર શિવશંકર ઝા અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારૂને સસ્પેન્ડ કરી દેવાયા હતા. બાદમાં બેંકની ઈન્ટરલન ઈન્કવાયરી કરવામાં આવી હતી. ઘટનાને પગલે બેંક ઓફ બરોડાના રિજનલ હેડએ ડોક્યુમેન્ટસ સાથે ચેડા કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરવા બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર પોલીસે પુરાવાના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

Karnavati 24 News

ગુજરાત સરકારની નવી કેબિનેટમાં યુવા અને પેર્ફોરમંન્સ ને પ્રાધાન્ય અને 12 એવા ચહેરા જેમને પ્રથમ ટર્મમાં જ મળ્યુ મંત્રીપદ

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો સાબરકાંઠાના ખેડૂતો અને પશુપાલકો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

Gujarat Desk

વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨ હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News

જુલાઈ ૨૦૨૫માં જથ્થાબંધ મોંઘવારી બે વર્ષના તળિયે…!!

Gujarat Desk
Translate »