Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને થયેલા અકસ્માત માં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને થયેલા અકસ્માત માં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને શનિવારે રાત્રે નડેલા અકસ્માતમાં તત્કાલ બચાવ અને રાહત કાર્યો માટે જિલ્લા કલેક્ટરને સ્થળ પર પહોંચી જરૂરી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

ભૂપેન્દ્ર પટેલે રવિવારે વહેલી સવારે પણ ડાંગ કેલેકટર સાથે વાતચીત કરીને ઇજાગ્રસ્તોની સ્થિતિની વિગતવાર જાણકારી મેળવી છે.

ગઇ કાલે રાતે આ અકસ્માતની ઘટના થઇ ત્યારથી જ મુખ્યમંત્રીએ આ અકસ્માત સંદર્ભમાં જિલ્લા તંત્રના સતત સંપર્કમાં હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ,પોલીસ,આરોગ્ય,108 અને ડાંગના સેવાભાવી યુવાનોએ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર અને સાપુતારા, આહવા હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી કરી હતી તેનું માર્ગદર્શન મોડી રાત સુધી કરતા રહ્યા હતા. તેમણે આ અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર અને મળવાપાત્ર જરૂરી તમામ મદદ કરવા માટે પણ જિલ્લા કલેકટરને સુચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં જે બે મહિલા પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના માર્ગ મકાન મંત્રી પુરણેશભાઈ મોદીને આ ગોઝારી ઘટનાની જાણ થતા જ, તેમણે તાત્કાલિક બીજેપીના વઘઇ, સાપુતારા સહિત ડાંગના કાર્યકરો, સ્વયંસેવકોને તુરંત ઘટના સ્થળે પહોંચી, જરૂરી મદદ પુરી પાડવાની સૂચના આપતા કર્મઠ કાર્યકરી ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યા જિલ્લા વહીવટી તંત્રની સાથે ખભેખભા મિલાવી, ઘાયલોને સાપુતારા તથા શામગહાન આરોગ્ય કેન્દ્રો ખાતે સારવાર્થે ખસેડવામા આવ્યા હતા. આ લખાય છે ત્યારે આ ગોઝારા અકસ્માતમા બે વ્યક્તિઓના મૃત્યુ સાથે પચ્ચીસેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે.

संबंधित पोस्ट

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે* ?

Karnavati 24 News

भारत छोड़ो आंदोलन में फूट-फूटकर रोने लगी लड़की राहुल गांधी ने बताई वजह !

Admin

દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટનઃ મોદીએ કહ્યું- 8 વર્ષ પહેલા ખેડૂતો યુરિયા માટે લાકડીઓ ખાતા હતા, અમે 5 બંધ ફેક્ટરીઓ ખોલી

Karnavati 24 News

મહારાષ્ટ્રમાં અક્ષય તૃતીયાની ઉજવણી: પૂણેના દગડુશેઠ ગણપતિ મંદિરને 11 હજાર કેરીઓ, 500 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું મહાલક્ષ્મી મંદિર

હવે ‘વંદે ભારત’ પશુઓ સાથે ટકરાશે નહીં, રેલવે ટ્રેક પર રખડતા પશુઓ જોવા મળશે તો RPF કડક પગલા લેશે

Admin

રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો

Karnavati 24 News