કેજરીવાલ અને ભગવંત માન બન્ને મુખ્ય મંત્રી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે. કેજરીવાલ અને ભગવંત માન નિકોલ વિસ્તારમાં આ રોડ શોનો પ્રારંભ કર્યાે હતો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો શરૂ થતાની સાથે જ જનતાને સંબોધન કરતા કહ્યું કે, ખોડીયાર માતાના મંદીરથી રોડ શોની શરૂઆત આજે કરી છે. માતાજી આશીર્વાદ, બળ અને બુદ્ધી આપે. શહીદોના સપનાઓની આઝાદી સામાન્ય લોકો સાથે શરૂ કરી છે. તેમાં સફળતા મને અહીં જ દેખાઈ રહી છે. તિરંગા યાત્રા સાથે આવ્યા છો તો દેશ ભક્તો છો તમે. તમારી દેશ ભક્તિની ઈમાનદારીમાં કોઈ કમ નથી. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અહીં આપણી સાથે છે.
અરવિંદ કેજરીવાર માટે આવી ભીડ કંઈ નવી નથી, આ તિરંગાઓ નવા નથી. રામલીલા ગ્રાઉન્ડમાં તિરંગાઓ ને જોવા માટે પૂરો દેશ જોવા માટે આવતો હતો ત્યારે તેઓ સ્ટેજ પર હતા. હવે દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની છે.
એક થી દોઢ કલાકનોે આ રોડ રહેશે. લોકોના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો જેથી તિરંગા યાત્રા નામ આપવામાં આવ્યું છે.