Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ધ્રાંગધ્રા – હળવદના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા

સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં ફરી કોરોના એ માથું ઉચક્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ છેલ્લા ૧૦ દિવસમાં અંદાજે ૧૦૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં હવે ધ્રાંગધ્રા – હળવદ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી જવા પામી છે..આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા – હળવદ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થયા બાદ ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઇસોલેટ થયા છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ રિપોર્ટ કરાવી લેવા સલાહ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા કલેકટર કચેરી ખાતે બે દિવસ પહેલા યોજાયેલ બેઠકમાં ધારાસભ્ય પરસોતમ સાબરિયા કલેકટરની પાસે જ બેઠા હતા તેમજ આ બેઠકમાં અધિકારીઓ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા ત્યારે ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં પણ ચિંતા વધી છે. જ્યારે ધારાસભ્ય સાબરીયાએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેમજ ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા તેમના સમર્થકો, શુભેરછકો અને રાજકીય હોદેદારો સહિત કાર્યકરોએ મેસેજ તેમજ ફોન દ્વારા ખબર અંતર પૂછ્યા હતા અને જલદીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

संबंधित पोस्ट

મંત્રીના દીકરાએ ગનથી જે ફાયરીંગ કર્યું એ વીડિયો વાયરલ થયા બાદ જાણો મંત્રી આર.સી. મકવાણાએ શું કહ્યું

Karnavati 24 News

રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે પધારશે ભુપેન્દ્ર પટેલ

Karnavati 24 News

આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે

Karnavati 24 News

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

Karnavati 24 News

વિદ્યાપીઠ પરિસરમાંથી ચાર દિવસમાં 594 મેટ્રિક ટન જેટલા કચરા અને ભંગારનો નિકાલ

Admin

કોંગ્રેસ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને મુખ્ય રાજકીય મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે