Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ લેશે અનોખો સંકલ્પ,જીવન સામે જજુમી રહેલા લોકોને નવજીવન અપાવવાનો પ્રયાસ : ટ્રસ્ટની પહેલ પણ બિરદાવવા લાયક

ગુજરાતનું ગૌરવ એવા દેશના પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અનેક પ્રકારના આયોજનો તેમના ચાહકો દ્વારા કરવામાં આવતા હોય છે.પરંતુ અમદાવાદ ખાતે યોજાઈ રહેલ એક દિવ્યાંગોના કાર્યક્રમને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.પીએમ મોદીના જન્મ દિવસે જિંદગી સામે ઝઝૂમી રહેલા અનેક દર્દીઓને ફરી એકવાર સારી રીતે જિંદગી જીવવાની તક મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સંવેદનશીલ ગણાતા પીએમ મોદી માટે પણ સૌથી મોટી ભેટ પણ આ કાર્યક્રમની સફળતા ગણાશે.

અમદાવાદ ખાતે યોજવા જઈ રહેલ આ કાર્યક્રમ અંગદાન જાગૃતિ માટે નો છે.આ પ્રવૃત્તિ થકી હજારો દર્દીઓ જે કુદરતી તેમજ માનવસર્જિત કારણોસર જીવન મરણ વચ્ચે ઝોલા કહી રહ્યા છે;તેવા દર્દીઓને અંગદાન થકી નવજીવન મળી શકે છે.તે માટે સમગ્ર આયોજન અમદાવાદના અંધજન મંડળ ખાતે લોકોમાં અંગદાન પ્રવૃત્તિ અંગે જાગૃતિ આવે તે માટે અંગદાન સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં અંગદાનની પ્રવૃત્તિ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારના કર્યક્રમો વિવિધ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી રહ્યા છે.જેના પરિણામ સ્વરૂપે એક વર્ષમાં માત્ર અમદાવાદ ખાતે જ 90 કરતા વધુ અંગદાન કરવામાં સફળતા મળી છે.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ પણ પ્રધાનમંત્રીના જન્મદિવસે સમગ્ર રાજ્યભરમાં મોટી સંખ્યામાં લોકો અંગદાન સંકલ્પ કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.તે અભિયાનની શરૂઆત શુક્રવારના રોજ અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતેથી કરવામાં આવી રહ્યું છે.

વિશ્વમાં પ્રથમ વખત એક સાથે 200 થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અંગદાનનો સંકલ્પ લઈને રાજ્યમાં અંગદાન સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવનાર છે.રાજ્યમાં આ અભિયાન હેઠળ 500 કરતા વધુ કાર્યક્રમો વિવિધ સ્થાનો પર યોજાનાર છે.

આ અભિયાન થાકી આવનાર સમયમાં રાજ્યના વિવિધ શહેરોમાં પણ અંગદાન પ્રવૃત્તિઓને વેગ મળશે અને અંગની રાહ જોતા દર્દીઓને ઝડપતી અંગ મેળવવામાં સફળતા કરશે.

संबंधित पोस्ट

‘પાકિસ્તાની ચાયવાલા’ના નામથી પ્રખ્યાત આ યુવકે જે કર્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું

Karnavati 24 News

આવી રહી છે મેડ ઇન ઇન્ડિયા બેટલગ્રાઉન્ડ્સ રોયલ ગેમ, આ કંપનીએ ટ્રેલર કર્યું રિલીઝ

Karnavati 24 News

મંદિર-મસ્જિદ વિવાદમાં PFIની એન્ટ્રી: કટ્ટરપંથી સંગઠને દેશભરના મુસ્લિમોને અપીલ કરી, મસ્જિદો પરની કાર્યવાહીનો વિરોધ કરો

Karnavati 24 News

હવે ‘વંદે ભારત’ પશુઓ સાથે ટકરાશે નહીં, રેલવે ટ્રેક પર રખડતા પશુઓ જોવા મળશે તો RPF કડક પગલા લેશે

Admin

‘કાશ્મીરમાં સિનેમાના નામે ગંદકી સહન નહીં કરીએ’, આતંકવાદી સંગઠન TRFની ધમકી

Karnavati 24 News

3KG ચોખા ખાઓ-4KG લોટનો રોટલો બિહારનો રફીક: એક પત્ની ભોજન બનાવી શકતી ન હતી, તેથી બીજા લગ્ન કર્યા; 200 કિલો વજન

Karnavati 24 News