Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

૨૦૦૯થી ર૦રર સુધીમાં ભાજપ સરકારે ૧૪ વર્ષના ગાળામાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકમાં ૧૬ વખત સુધારા કરવા પડ્યા : ધાનાણી

વિધાનસભા ગૃહમાં રાજ્‍યના શિક્ષણમંત્રીશ્રી દ્વારા લવાયેલ ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક-ર૦રરમાં વિચારો રજુ કરતા પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે,

 વર્ષ-ર૦૦૯માં આ મુળ બિલ વિધાનસભામાં પસાર થયું ત્‍યારે ખાનગી અને અર્ધ સરકારી સંસ્‍થાઓને ખાનગી યુવિનર્સિટીનો દરજજો આપવા માટે લવાયું હતું. વર્ષ-ર૦૦૯થી ર૦રર સુધીમાં ભાજપ સરકારે માત્ર ૧૪ વર્ષના ગાળામાં આજ વિધેયકમાં ૧૬ વખત સુધારા કરવા મજબુર શા માટે બનવું પડયું છે ?
૧૬મી વખતનો સુધારો ૧૧ જેટલી સંસ્‍થાઓને ખાનગી યુનિવર્સિટીનો દરજ્‍જો આપવા માટે સરકાર લાવી છે. દરેક સુધારામાં ખાનગી યુનિવર્સિટીનું નામ, સરનામું બદલવા કે નવી સંસ્‍થાને ખાનગી યુનિવર્સિટીનો દરજ્‍જો આપવા માટે વારંવાર આવા સુધારા કરવા પડે છે.
આપણે કાયદા ઘડનારા છીએ. કાયદાનો અમલ કરાવવાની જવાબદારી વિભાગની હોય છે. આ કાર્યપાલિકાનું કામ વિધાનસભાએ હાથમાં લેવું ન જોઈએ. એક વખત મોટો સુધારો કરો તો વારંવાર સુધારા કરવાની જરૂર નહીં પડે. એક નીતિ નકકી કરીને કાયદો ઘડીએ, તેના ધારા-ધોરણો ઘડીએ અને તેનું પાલન કરવાની જવાબદારી કાર્યપાલિકાને સોંપી દઈએ તો સમગ્ર ગુજરાતમાં ધારા-ધોરણો અને કાયદાને પરિપૂર્ણ કરતી કોઈપણ સંસ્‍થાઓને યુનિવર્સિટીનો દરજ્‍જો મેળવવા મોકળું મેદાન મળશે.

संबंधित पोस्ट

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News

98 રાજુલા વિધાનસભામાં વિજય વિશ્વ સંમેલન સાથે કોંગ્રેસ પક્ષના વર્તમાન ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું

Admin

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

Karnavati 24 News

ચીનનું જહાજ શ્રીલંકા પહોંચતા ભારતે જાસૂસીની આશંકા વ્યકત કરી હતી

Karnavati 24 News

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર, કોર્ટે ટીવી પર જઈને માફી માંગવા કહ્યું

Karnavati 24 News