Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

મોરબીમાં સતત ભાવવધારા બાદ હવે પુરતો ગેસ નહિ મળતા ઉદ્યોગપતિઓ લડાયક મૂડમાં

મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા, ૨૦ ટકા ગેસ કાપથી સિરામિક ઉધોગની સ્થિતિ દયનીય બની

મોરબીમાં સતત ભાવવધારા બાદ હવે પુરતો ગેસ નહિ મળતા ઉદ્યોગપતિઓ લડાયક મૂડમાં

મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા

૨૦ ટકા ગેસ કાપથી સિરામિક ઉધોગની સ્થિતિ દયનીય બની

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં છેલ્લા થોડા મહિનાઓમાં સતત ભાવવધારો જોવા મળ્યો હતો એટલું ઓછું હોય તેમ હવે પુરતો ગેસ આપવામાં આવતો ના હોય જેથી આજે સિરામિક ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચી ગયા છે અને હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી છે

મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવોમાં થોડા મહિનાઓમાં જ અંદાજે ડબલ જેટલો વધારો કરાયો છે આટલા ભાવવધારા છતાં ગેસ સપ્લાય પૂરતા પ્રમાણમાં કરવામાં ના આવતા સિરામિક એકમોને પ્રોડક્શનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જે સમસ્યાથી કંટાળી જઈને આજે મોરબી સિરામિક એસોના નેજા હેઠળ ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ ઓફિસે પહોંચીને ગેસ કંપનીને રજૂઆત કરી છે અને તાત્કાલિક નિરાકરણ ના આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

મોરબી સિરામિક એસો દ્વારા ગુજરાત ગેસ લીમીટેડને રજૂઆત કરી જણાવ્યું છે કે ગેસ કંપની દ્વારા જે MGO થાય છે તે MGO એપ્રિલ મહિના માટે એક જ ફિક્સ ભાવથી ૧૦૦ ટકા MGO કરી આપશો અને તેની જાણ કરશો બાદમાં જ સિરામિક એસોના મેમ્બરો MGO કરશે અગાઉ જે લેટર આપેલ તેનો આજ સુધી જવાબ આપ્યો નથી જેથી તાત્કાલિક જવાબ આપવા અને પુરતો ગેસ આપવા માંગ કરવામાં આવી છે

 

૨૦૦ ઇન્ડસ્ટ્રીઝ આ મહીને બંધ થશે : મુકેશ કુંડારિયા

૨૦ ટકા ગેસ કપના નિર્ણયથી ઉધોગ ચાલી સકે નહિ હાલ મંદી હોવાથી ઉધોગ સાયકલ ધીમી હોવાથી વપરાશ ઘટી ગયો છે પરંતુ MGO માં 80 ટકા મુજબ કરે તો તા. ૨૫ આસપાસ ફેક્ટરીનો ક્વોટા પૂરો થતા શટ ડાઉન લેવા પડે જેથી મેન્ટેનન્સ સહિતનો ખર્ચ વધી જાય જે સ્થિતિમાં ૨૦૦ જેટલી ફેક્ટરી આ મહીને બંધ કરવી પડે તેવી સ્થિતિ છે જેથી ઉદ્યોગને MGO માં ૧૦૦ ટકા ગેસ આપવાનો કરાર કરાય તેવી માંગ કરી રહ્યા છે

संबंधित पोस्ट

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

દરેક વ્યક્તિને પોસ્ટ ઓફિસમાંથી મળશે 5000 જુઓ કઇ રીતે મળશે .

Karnavati 24 News

એક્શન / યોગ્ય ટ્રેનિંગ વગર વિમાન ઉડાવી રહ્યા હતા 90 પાઇલોટ, DGCAએ કરી કડક કાર્યવાહી

Karnavati 24 News

INS Khuhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

Karnavati 24 News

અદાણી ગ્રૂપની બે કંપનીઓની ઉલટી ચાલ, ઘટી રહેલા માર્કેટમાં શેરના ભાવ વધ્યા

Karnavati 24 News

શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

Karnavati 24 News
Translate »