Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

એરપોર્ટ પર સુરક્ષા અંગે કેન્દ્રીય ગૃહ સચિવની બેઠક, એરઇન્ડિયા વિવાદ પર થઈ આ ચર્ચા

એર ઈન્ડિયાની ફલાઇટમાં થોડા દિવસ પહેલા નશામાં ધૂત પેસેન્જરે વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કરી દીધો હતો. જેના કારણે મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે એરલાઈન્સ કંપનીઓ તરફથી કેન્દ્ર સરકારને એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ સોમવારે એરપોર્ટ સુરક્ષાના મુદ્દે એક બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન એર ઈન્ડિયાની આ આશ્ચર્ચજનક ઘટના પર ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ સિવાય એરપોર્ટ પર લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં 30 મિનિટ સુધી થઈ ચર્ચા:

એરપોર્ટ સુરક્ષા સાથે સંકળાયેલા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના મહાનિર્દેશક અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના વડા પણ બેઠકમાં હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તાજેતરમાં થયેલા ગેરવર્તણૂકના મુદ્દે લગભગ 30 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. ગૃહ મંત્રાલયની ઓફિસમાં સવારે 11 વાગ્યે બેઠક શરૂ થઈ હતી.

આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં: 

આપણે જણાવી જઈએ કે થોડા દિવસ પહેલા અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત એક પેસેન્જરે એક વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કરી દીધો હતો. આ મામલે કડક વલણ અપનાવી આરોપી પેસેન્જરેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.આજે વહેલી સવારે દિલ્હી પોલીસે આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરી હતી અને તેને નવી દિલ્હી લાવી હતી.ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે તપાસ દરમિયાન આરોપી સતત પોતાનું નિવેદન બદલી રહ્યો હતો અને તપાસ અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રિપોર્ટ મુજબ, આરોપીએ પણ પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી હવે 11 જાન્યુઆરીએ થશે.

संबंधित पोस्ट

અમદાવાદ માં કોરોના ના કેસ સતત વધી રહ્યાં છે.

Karnavati 24 News

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Admin

અમરેલીના ખાંબા, સાવરકુંડલા અને રાજુલા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, રસ્તાઓ પર પાણી વહી ગયા

આવતા મહિને ખેડૂતોને આપવામાં આવશે બે હજારની સહાય આપશે .

Karnavati 24 News

વોર્ડ નં.૨માં સુભાષનગર પાર્ટ, શ્રેયસ સોસાયટી પાર્ટ તથા સ્વસ્તિક સોસાયટીમાં ડામર રોડના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઠાકુરના વરદ હસ્ત

Karnavati 24 News

રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન સંપૂર્ણ

Karnavati 24 News