Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય. અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.

શિયાળામાં અખરોટ આરોગવી ખુબ હિતાવહ પરંતુ, અતિરેક સારો નહિ: દૂધ અને અખરોટને મિક્સ કરી પીવાથી તેની અંદર રહેલા પોષક તત્વોના ગુણ મગજને તેજ રાખી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફેનોલિક એસિડ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે, આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે, અખરોટમાં મેલાટોનિન હોય છે જે સ્ટ્રેસ અને ટેન્શન ઘટાડે છે. તેનાથી સારી ઊંઘ આવે છે, અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, અખરોટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે કોઈ પણ વસ્તુના બે પાસા હોય તો આપણે જાણીએ : અખરોટનું જો વધુ પડતું સેવન કરવામાં આવે તો શું નુકસાન થઈ શકે? અખરોટથી એલર્જી થવી એ સામાન્ય બાબત છે, અખરોટનું વધુ સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે , વજન વધી શકે છે. અખરોટમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે.નાના બાળકો ઘણી વખત ચાવ્યા વગર જ અખરોટ ઉતારી દે છે તો બાળકોમાં અપચાની સમસ્યા ઊભી થાય તેથી તેનો પાવડર કે પાણીમાં પલાળીને કે ક્રશ કરીને જ આપવી. દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય. અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.

संबंधित पोस्ट

બાળકોના સ્વસ્થ ભવિષ્ય માટે આ રસીઓ અપાવો, તેમને જીવલેણ રોગો અને વિકલાંગતાઓથી રક્ષણ મળશે

Admin

દાંત મોતી જેવા ચમકશે, મીઠા સાથે 5 રૂપિયાની આ વસ્તુનો ઉપયોગ કરો.

Karnavati 24 News

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

Karnavati 24 News

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માંગો છો? તો રાત્રિભોજન પછી આ એક કામ કરો.

Karnavati 24 News

હેલ્થ ટીપ્સઃ નાસ્તામાં આ બીજ સામેલ કરો, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે

હેલ્થ ટીપ્સ: જો તમે આદુની ચા પીવાના શોખીન છો તો સાવધાન! સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે

Translate »