Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 ખેડા જિલ્લામાં માસ્ક નહીં પહેરવા તથા થુકવાના ૭૪ જેટલા કેસો નોંધાયા રૂા.૭૪,૦૦૦ નો દંડ. વસુલાયો

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર શરૂ થયો ત્યાર થી માસ્ક પહેરવાની કેન્દ્ર અને રાજય સરકારે ગાઇડ લાઇન આપેલ છે. હાલ સમગ્ર ગુજરાતમાં ઓમિક્રોનની ત્રીજી લહેરની અસર શરૂ થઇ છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ એમીક્રોન ના કેસો આવતા વહીવટીતંત્ર દ્વારા કડક નિયમ પાલન માટે પોલીસને આદેશો કરવામાં આવ્યા હતા જે મુજબ ખેડા જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 74 હજારનો માસ્ક અંગેનો દંડ વસુલવામાં આવ્યો છે ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ માસ્કને ન પહેરનાર તેમજ જાહેરમાં થુંકનારા ઇસમો વિરુધ્ધ કાર્યવાહિ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા.૧૮/૧૨/૨૦૨૧ થી તા.૨૪/૧૨/૨૦૨૧ સુધીમાં ખેડા જિલ્લામાં નડિયાદ પશ્ર્વિમ પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક ન પહેરનારના ૪ (ચાર) કેસમા રૂા.૪,૦૦૦/-, નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ૨ (બે) કેસમાં રૂા.૨૦૦૦/-, ચકલાસી પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪૦૦૦/-, વસો પોલીસ સ્ટેશનમાં ૧ (એક) કેસમાં રૂા.૧૦૦૦/-, માતર પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪૦૦૦/-, લીંબાસી પોલીસ સ્ટેશનમાં ૩ (ત્રણ) કેસમાં રૂા.૩૦૦૦/-, ડાકોર પોલીસ સ્ટેશનમાં ૧૧ (અગીયાર) કેસમાં રૂા.૧૧,૦૦૦/-, સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ૧૪ કેસમાં રૂા.૧૪,૦૦૦/-, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ૭ (સાત) કેસમાં રૂા.૭,૦૦૦/-, આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪,૦૦૦/-, મહુધા પોલીસ સ્ટેશનમાં ૬ (છ) કેસમાં રૂા.૬,૦૦૦/-, મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪,૦૦૦/-, ખેડા પોલીસ સ્ટેશનમાં ૧૦ (દશ) કેસમાં રૂા.૧૦,૦૦૦/- મળી કુલ ૭૪ કેસમાં રૂા.૭૪,૦૦૦/-ના દંડની વસુલાત કરેલ છે.

संबंधित पोस्ट

પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ 424 VIP લોકોની સુરક્ષા લીધી પરત

Karnavati 24 News

પાટણ શહેર ના પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા 12 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

Karnavati 24 News

રાજકોટ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી

Karnavati 24 News

અમિતશાહના હસ્તે અમદાવાદમાં 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે

Karnavati 24 News

તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

Karnavati 24 News

વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનું મહત્વનું પ્રદાનઃ

Karnavati 24 News