Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

1લી નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનનું સંબોધન, વાપીના VIA ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

વડાપ્રધાનનું આ વર્ચ્યુઅલ સંબોધનનું ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર જીવંત પ્રસારણ થશે. આ અંતર્ગત મંગળવારે VIA કોન્ફરન્સ હોલમાં નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી. VIA ખાતે મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત નાણામંત્રીએ માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 1 નવેમ્બરના સાંજે 5 વાગ્યે વડા પ્રધાન મોદી નવી દિલ્હીથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે. આ માટે વાપીના VIA ગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. જ્યાં કાર્યકરો અને હોદ્દેદારો એ હાજર રહીને વડાપ્રધાનનો લાઈવ કાર્યક્રમ નિહાળવાનો છે. વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારી માટે આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો હાજર રહે તે માટે હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ, નપા ઉપપ્રમુખ અભય શાહ, શહેર ભાજપ પ્રમુખ સતીષ પટેલ, વીઆઈએના પ્રમુખ કમલેશ પટેલ અને તમામ મુખ્ય સંગઠનના હોદ્દેદારો, મંડળ પ્રમુખો, ગામના સરપંચ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામને નાણામંત્રીએ વધુમાં વધુ કાર્યકરો સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપી હતી.

संबंधित पोस्ट

ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર

Admin

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ

Admin

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર-23માં મોડી રાતે આગના બે બનાવ, કોર્ટ પાસે ઝૂંપડામાં લાગી આગ, યોગેશ્વર ફ્લેટમાં મીટર બોક્સ ભભકી ઊઠ્યું

Admin

છાયા – નવાપરામાં બાલવીનગરમાં રહેતા સેજલબેન મેઘનાથીએ આપઘાત નો પ્રયાસ

Admin

મ્યુનિસિપલ શાળા માં લાલિયા વાડી મંજુરી વગર ભોજન સમારોહ કર્યો

Admin

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

Admin