Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

બાબા રામદેવની કંપનીને થયો 234 કરોડ રૂપિયાનો નફો, શેરધારકોને સારા ડિવિડન્ટની જાહેરાત

સ્વામી બાબા રામદેવની કંપની રૂચી સોયાને ચોથા ક્વાર્ટરમાં 234 કરોડ રૂપિયાનો નફો થયો છે. જો કે, ગત વર્ષથી જો કે આ ગયા વર્ષ કરતાં એક ક્વાર્ટર ઓછું છે, પરંતુ કંપનીએ તેના શેરધારકોને સારા ડિવિડન્ડની જાહેરાત કરી છે.બાબા રામદેવની આ કંપની હાલમાં જ પોતાના FPO લઈને આવી હતી. હવે કંપનીએ નાણાંકિય વર્ષ 2021-22ના જાન્યુઆરી-માર્ત ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. આ દરમ્યાન કંપનીના સ્ટેંડઅલોન પ્રોફિટ 234.43 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે ગત નાણાંકિય વર્ષ 2020-21ના આજ ક્વાર્ટરમાં કંપનીનો નફો 314.33 કરોડ રૂપિયા હતો.રુચી સોયાની કમાણી વધી છેચોથા ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશનલ ઈનકમ વધી છે. તે 37.72 % વધીને 6,663.72 કરોડ રૂપિયા રહી છે, જે ગત વર્ષે 4,838.5 કરોડ રૂપિયા હતી. આ ક્વાર્ટરમાં કંપનીના 74.65 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ પણ કર્યું છે.2 રૂપિયાના શેર પર 5 રૂપિયા ડિવિડન્ટરુચી સોયાએ નાણાંકિય વર્ષ 2021-22 માટે પ્રતિ શેર 5 રૂપિયા ડિવિડેન્ટ આપવાની જાહેરાત કરી છે. કંપની 2 રૂપિયા અંકિત મૂલ્યના શેર પર આ ડિવિડન્ટ આપશે, જે શેરની ફેસ વેલ્યૂના 250 % છે.ટૂંક સમયમાં બદલશે પોતાનું નામતાજેત્તરમાં શેર માર્કેટમાં લોકોને જબરદસ્ત રિટર્ન આપનાર રૂચી સોયા હવે પોતાનું નામ, રૂપ અને રંગ બધુ જ બદલવા જઈ રહ્યા છે. કંપની હવે બાબા રામદેવની જ પતંજલી આયુર્વેદના ફૂડ બિઝનેસનું અધિગ્રહણ કરશે. આ સાથે જ તેનું નામ બદલી પતંજલિ ફૂડ્સ થઈ જશે.રુચિ સોયાએ પતંજલિ આયુર્વેદની સાથે એક સમજૂતિ કરી છે. હવે કંપની પતંજલિ બ્રાંડની હેઠળ બનતા કેટલાક ફૂડ પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ, પેકેજિંગ, લેબલિંગ અને રિટેલિંગનું કામ કરશે. આ સાથે જ કંપનીને પતંજલિના હરિદ્વાર અને નેવાસ (મહારાષ્ટ્ર)ના પ્લાંટ પણ ટ્રાંસફર કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, આ ડીલ લગભગ 690 કરોડ રૂપિયાની હશે. ડીલના 15 જુલાઈ 2022 સુધી પૂરી થવાની અપેક્ષા છે. આ સાથે જ રૂચી સોયાનું નામ બદલી પતંજલિ ફૂડ્સ થઈ જશે.

संबंधित पोस्ट

ખુશખબર/ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, 2000નો હપ્તો આવે તે પહેલા મળી શકે છે નવી સુવિધા

Karnavati 24 News

નવા વર્ષના ઠરાવો 2022: નવા વર્ષમાં તમારા વ્યવસાય માટે આ ઠરાવો કરો

Karnavati 24 News

ભારતના ઘઉંની નિકાસ પ્રતિબંધનું સમર્થન કરીને ચીને આશ્ચર્યચકિત કર્યા.

Karnavati 24 News

સર્વિસ ચાર્જ પર કેન્દ્રની કડકાઈઃ સરકારે સર્વિસ ચાર્જને ખોટો ગણાવ્યો, રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોને ચાર્જ ન લેવા જણાવ્યું

Karnavati 24 News

રોકાણની ટિપ્સ/ બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Karnavati 24 News

LIC IPOમાં નાણાં રોકાણ કરવાની છેલ્લી તકઃ દેશનો સૌથી મોટો IPO આજે બંધ થશે, અહીં જાણો તમે તેના માટે કેવી રીતે અરજી કરી શકો છો