હાલ માં છેલ્લા બે દિવસ દરમિયાન રેણુકા સુગરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આથી ગુરુવારે શેર દીઠ રૂ. 2.50 સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં બપોરના સમયે આ શેરમાં અપર સર્કિટ લાગી હતી.
જે બાદ કંપનીના શેરની કિંમત 49.50 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગઈ હતી. જેમાં છેલ્લા બે દિવસમાં આવેલા ઉછાળાને કારણે કંપનીના શેરે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 35% નું વળતર આપ્યું છે. ત્યારે રેણુકા સુગરના શેરમાં વધારા અંગે પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એ કહે છે, “ આ કંપનીના શેરમાં વૃદ્ધિનું કારણ અનુમાન છે. જ્યારે કંપનીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
ત્યારે કંપનીના મૂલ્યાંકન પર નજર કરીએ તો, અદાણી જૂથના ટેકઓવર પછી છેલ્લા બે દિવસમાં ઉછાળો વધુ છે. હાલ માં એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના રિસર્ચ સેક્ટરના વાઇસ પ્રેસિડેન્ટ કહે છે, “ભારત સરકારની ઇથેનોલ નીતિને કારણે ખાંડના ક્ષેત્રમાં લાંબા ગાળાનું રોકાણ કરી શકાય છે.
આમ શેર બજાર માં રેણુકા કમ્પની શુગર ના શેર માં ધરખમ વધારો થવાની સાથે આ કમ્પનીના શેર પ્રાઇસ માં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જેથી આ શેર રોકાણકારો માટે લાભ આપી શકે તેમ છે.