બીલખા ગામે બ્રહ્મલીન મહંત પરમહંસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ચેલૈયા ધામ ખાતે રામ દયાલદાસજી બાપુ જીથુડી હનુમાનજી તથા મહંત રામરૂપદાસ બાપુના આયોજન તળે તારીખ 29મી થી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ યોજાશે કથા પાન સરોજબેન તેરૈયા કરાવશે કથાની તારીખ 6 જાન્યુઆરીના પૂર્ણાહુતિ થશે હાલ કથાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે બીલખામાં આનંદ આશ્રમ આવેલો છે આ આશ્રમની સ્થાપના નથુરામ શર્માજીએ કરેલી હતી આ આનંદ આશ્રમની સ્થાપના 125 વર્ષ પૂર્ણ થયા છે આ આશ્રમ ખાતે વિદ્યાલય પણ કાર્યરત છે અને શ્રી દક્ષિણા મૂર્તિ સનાતન ધર્મ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સવા કરોડ દક્ષિણા મૂર્તિ ગાયત્રીના જપ કરવામાં આવ્યા છે આ અનુષ્ઠાનના ભાગરૂપે બીલખા આનંદ આશ્રમ ખાતે દશેરા હોમ તર્પણ અને માર્જન નો કાર્યક્રમ તારીખ 1 થી 5 જાન્યુઆરી એમ પાંચ દિવસ સુધી આયોજિત કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગાયત્રી મહાયાગનુ પણ આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મ પ્રસંગને સફળ બનાવવા આનંદ આશ્રમના ટ્રસ્ટી મંડળ ગુરુજનો અને સમસ્ત વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ યજ્ઞ શાળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે