Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

રાજકીય ખળભળાટ- ભાજપના ધારાસભ્યએ કહ્યું મારા પર જીવનું જોખમ, માફિયાઓ મારી શકે છે

ઉના વિધાનસભા બેઠકના બીજેપી ધારાસભ્ય કેસી રાઠોડે દાવો કર્યો છે કે ગુજરાતમાં બુટલેગરો અને જમીન માફિયાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ભાજપના ધારાસભ્યએ જીવનું જોખમ હોવાની વાત તેમણે એક સમૂહ લગ્નોત્સવમાં પણ કરી હતી.

ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડે કહ્યું, ‘હું આ ધમકીથી ડરી ગયો છું, કારણ કે બે વર્ષ પહેલા મારા પર હુમલો થયો હતો અને મને ઈજાઓ થઈ હતી. હવે સરકારે મારી સુરક્ષા માટે બે SRP જવાન આપ્યા છે, પરંતુ જો કોઈ મને ગોળી મારવા માંગે તો તે કરશે, કારણ કે ગુનેગારો ગુના કરતા ડરતા નથી.

તેમણે કહ્યું કે તેમને આશંકા છે કે  બુટલેગરો અથવા તેમના વિસ્તારના કે અન્ય ભૂમિ માફિયાઓ, જેમની વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો છે તેમને શૂટર્સ અથવા ગુંડાઓ દ્વારા મારવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે સ્થાનિક કે અન્ય ગુજરાત બહારના પણ હુમલો કરી શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે પણ તેમને પોતાના જીવને ખતરો હોવાનું મહેસુસ થયું છે ત્યારે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી છે. રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે બે બુટલેગરોરો સામે ફરિયાદો છે અને ભૂતકાળમાં તેમના પર હુમલો કરવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પોતાના હિત માટે આવા કૃત્ય કરવામાં આવતી હોય છે. ભૂમિફાઈયાઓની પાછળ રાજકિય હાથ હોય છે. નુકશાન કરવા માટે આ કૃત્ય કરી શકે છે. પડદા પાછળ રાજકિય લોકો આવું કરી શકે છે. આ બાબતે ચોક્કસ કહેવું શક્ય નથી. તમારી પાસે સુરક્ષા જવાનો હોવા છતાં પણ દેશમાં હુમલાની ઘટનાઓ બની જ છે. અગાઉ મારી એકલતાનો લાભ લઈને ફાયરીંગ અગાઉ થયું હતું. આવનાર દિવસે કન્ફર્મ કરી પોલીસને જાણ કરીશું.

ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડે દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. ધારાસભ્યએ કહ્યું કે તેમની પર અગાઉ હુમલો થઈ ચૂક્યો છે. તેમને ડર છે કે તેમના પર જીવલેણ હુમલો થઈ શકે છે. રાઠોડે ઉના મતવિસ્તારમાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 40,000 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

संबंधित पोस्ट

भाजपा और आरएसएस कर रही है मुसलमानो पर जुल्म : डॉक्टर बर्क

Admin

Amit Shah Odisha Visit: गृहमंत्री अमित शाह ने कहा- ओडिशा के आ गए हैं अच्छे दिन, राज्य का मैं उज्ज्वल भविष्य देख रहा हूं

Karnavati 24 News

योगी के मंत्री आर्म्स एक्ट मामले में दोषी करार, जमानत बांड दिए बिना अदालत कक्ष से गायब

Karnavati 24 News

देखें: भारतीय लड़के के रूप में देशभक्ति गीत गाया, पीएम मोदी ने उनके साथ थिरकाया

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Karnavati 24 News

भारत बनाम ऑस्ट्रेलिया अंतिम टेस्ट मैच: अहमदाबाद स्टेडियम में पीएम मोदी ने की ऑस्ट्रेलियाई समकक्ष अल्बनीज की अगवानी

Karnavati 24 News