Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બજેટ 2026: કેન્દ્રીય બજેટ પર દેશના વિરોધપક્ષના દિગ્ગજ નેતાઓના નિવેદનો

(જી.એન.એસ) તા. ૧

નવી દિલ્હી,

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સતત 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હવે કેન્દ્રીય બજેટ 2026-27 પર વિરોધપક્ષના નેતાઓને પ્રતિક્રિયાઓ સામે આવી છે.

સંસદમાં પોતાનો પક્ષ રાખશે: રાહુલ ગાંધી

વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કહ્યું કે તેઓ આવતીકાલે સંસદમાં આ બાબતે વિગતવાર વાત કરશે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘યુવાનો બેરોજગાર છે, ઉત્પાદન ઘટી રહ્યું છે, રોકાણકારો મૂડી પાછી ખેંચી રહ્યા છે, સ્થાનિક બચત ઘટી રહી છે, ખેડૂતો સંકટમાં છે, વૈશ્વિક આંચકા આવી રહ્યા છે, બધાને અવગણવામાં આવ્યા છે. આ એક એવું બજેટ છે જે વાસ્તવિક કટોકટીઓને સંબોધવાને બદલે તેમને નજરઅંદાજ કરે છે.’

બંગાળની અવગણના અને હમ્પ્ટી-ડમ્પ્ટીબજેટ: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે ‘આ બજેટમાં બંગાળને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.’ તેમણે તેને મહિલા, ખેડૂત અને શિક્ષણ વિરોધી ‘હમ્પ્ટી-ડમ્પ્ટી’ બજેટ ગણાવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર માત્ર જીએસટી વસૂલે છે પણ રાજ્યોને તેમનો હક આપતી નથી.

જનતાને રાહત ન મળી: અખિલેશ યાદવ

સપા નેતા અખિલેશ યાદવે કહ્યું કે ‘આ બજેટ કોઈને રાહત આપનારું નથી. જો આવી જ સ્થિતિ રહી તો સોનાને બદલે પિત્તળના ઘરેણાં પહેરવા પડશે.’

કેરળ માટે ભારે નિરાશા: શશિ થરૂર

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે ‘મને આશા હતી કે કેરળમાં આયુર્વેદ સંસ્થા મળશે, પરંતુ બજેટમાં કેરળનું નામ જ સાંભળવા મળ્યું નથી, જે આશ્ચર્યજનક છે.’

આ બજેટ ફેંક અને લપેટવાજેવું: શત્રુઘ્ન સિન્હા

ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ બજેટને ‘ફેંક અને લપેટવા’ જેવું ગણાવ્યું. તેમણે કહ્યું કે ‘આમાં રોજગારી કે ખેડૂતોના કલ્યાણ માટે કોઈ નક્કર યોજના નથી અને તે વિકસિત ભારત માટેનું બજેટ નથી. બજેટ રેટિંગ આપવાને પાત્ર નથી.’

મોંઘવારી રોકવા માટે કંઈ નથી: આપ નેતા માલવિંદર સિંહ કાંગ

AAP નેતા માલવિંદર સિંહે બજેટને નિરાશાજનક ગણાવતા કહ્યું કે ‘મોંઘવારી રોકવા માટે કંઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે બજેટમાં પંજાબનો ઉલ્લેખ નથી અને માત્ર ચૂંટણીવાળા રાજ્યો પર જ ધ્યાન અપાયું છે.’

संबंधित पोस्ट

આજથી અમદાવાદ મનપા. દ્વારા ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે રાજભવનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કૃષિ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ

Gujarat Desk

આજનું રાશિફળ (06/06/2025)

Gujarat Desk

રાજ્યમાં 2047 સુધીમાં 15 સંપૂર્ણ કાર્યરત એરપોર્ટ હશે: ઓડિશા સરકાર

Gujarat Desk

એચસીએલ ટેક્નોલોજીનો નફો ફ્લેટ, શેરદીઠ રૂ.૧૨નું ડિવિડન્ડ જાહેર…!!

Gujarat Desk

કેન્દ્ર સરકારે અમિત ખરેને ભારતના ઉપરાષ્ટ્રપતિના સચિવ તરીકે નિયુક્ત કર્યા

Gujarat Desk
Translate »