Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧,૧૦૧ આદિજાતિ કન્યાઓને રૂ. ૧૩૨.૧૨ લાખની સહાય ચૂકવાઈ: આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

નર્મદા જિલ્લામાં આદિજાતિ કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવા માટે કુંવરબાઈનું મામેરુ યોજના અમલી છે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ ૧૨,૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં આ યોજના અંતર્ગત ૧,૧૦૧ આદિજાતિ કન્યાઓને લાભ આપવામાં આવ્યો છે તેમ વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું.  

કુંવરબાઈનું મામેરુ યોજના વર્ષ ૧૯૯૫થી અમલી છે. અનુસૂચિત જનજાતિની કન્યાઓને અને તેમના કુટુંબને લગ્ન પ્રસંગે મળતી આ સહાય આશીર્વાદરૂપ બની રહી છે. નર્મદા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ રૂ. ૧૩૨.૧૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

संबंधित पोस्ट

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

બોટાદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની બેઠક યોજાઇ

Gujarat Desk

રાજ્યની મહિલા ખેલાડીઓ કોઈ પણ એક રમતમાં “મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ ૨૦૨૪-૨૫”માં ભાગ લેવા  તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે

Gujarat Desk

શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવનાર બે આરોપીઓની જામનગરથી ધરપકડ

Gujarat Desk
Translate »