Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

શું ઋષિ સુનક થઈ ગયા ફેલ? બ્રિટનમાં બેકાબૂ મોંઘવારી દર 10%ને પાર, સ્થિતિ ગંભીર

બ્રિટને ભારતીય મૂળના ઋષિ સુનકને મોટી આશાઓ સાથે વડાપ્રધાનની ગાદી પર બેસાડ્યા હતા. પરંતુ સત્તા સંભાળ્યાના ઘણા મહિનાઓ પછી પણ સુનકના પ્રયાસો ફળીભૂત થતા દેખાઈ રહ્યા નથી. બ્રિટનમાં મોંઘવારી બેકાબૂ બની ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ બ્રિટનમાં ચાર મહિનામાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર વધી ગયો છે. વિશ્લેષકો પણ આ બેફામ મોંઘવારીથી આશ્ચર્યચકિત છે. સતત ખરાબ થતી સ્થિતિ વચ્ચે ગુરુવારે મળનારી સેન્ટ્રલ બેંકની બેઠકમાં વ્યાજદરમાં વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે બુધવારે અહેવાલ આપ્યો કે ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક વધીને 10.4 ટકા પર પહોંચી ગયો જે અગાઉના મહિનામાં 10.1 ટકા હતો. ફુગાવો બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યાંક કરતાં પાંચ ગણો વધારે છે. જોકે, અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે આ વર્ષના અંત સુધીમાં ભાવમાં તીવ્ર ઘટાડો થશે.

બેંક ડિસેમ્બર 2021 થી સળંગ દસ વખત દરોમાં વધારો કરી ચુકી છે, જે હવે ચાર ટકા પર પહોંચી ગયા છે. આના કારણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પર વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ પણ વધી ગયું છે. ગુરુવારે મળનારી બેઠકમાં બેંક આ અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે છે.

ખાલી થઈ રહ્યા છે સુપર માર્કેટ 

ગયા મહિને બ્રિટનમાંથી ઘણી ચોંકાવનારી તસવીરો સામે આવી હતી. યૂક્રેન યુદ્ધ અને બ્રેક્ઝિટે બ્રિટનના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. બ્રિટનમાં માલસામાનની આવકમાં તીવ્ર ઘટાડો થયો છે. જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ ગઈ છે. ત્યાં, સુપર સ્ટોર્સ પર ફળો અને શાકભાજીના ખાલી કાઉન્ટરો જોવા મળી રહ્યા છે.

संबंधित पोस्ट

एयर इंडिया की 2,800 फ्लाईट्स से तीन लाख से ज्यादा भारतीयों की हुई वापसी

Admin

रूस पर भारत के नरम रुख से अमेरिका नाराज: तेल सौदे पर बिडेन का निर्देश: भारत क्वाड का हिस्सा, रूस के साथ सौदा हमारे संबंधों में विश्वास को मिटाएगा

Karnavati 24 News

વિશ્વની સૌથી મોંઘી કારઃ મર્સિડીઝ બેન્ઝ 300 SLR 1100 કરોડમાં વેચાઈ

Karnavati 24 News

ટ્વીટરમાંથી ઈલોન મસ્કે 50 % કર્મચારીઓને કર્યા છૂટા, જણાવ્યું આ કારણ

Admin

સીડનીમાં હોલીડે ક્રુઝમાં 800 મુસાફરો મળ્યા કોરોના પોઝિટિવ, અધિકારીઓએ અધવચ્ચે અટકાવ્યું જહાજ

Karnavati 24 News

વિશ્વમાં ભારતના લેખનનો ડંકો: ટોમ્બ ઓફ સેન્ડ, બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ હિન્દી નવલકથા, લેખક ગીતાંજલિ શ્રીનું સન્માન

Karnavati 24 News
Translate »