Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

INS Khuhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

 

ભારતીય સેનાના INS ખુખરી (INS Khukhari Memorial Diu) યુદ્ધ જહાજે પાકિસ્તાની submarine ના હુમલામાં જળ સમાધી લીધી હતી, જેની કાયમી યાદ દીવમાં જળવાઈ રહે તે માટે યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિ દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે.
દીવ : વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની લડાઈમાં મુંબઈ તરફથી આવી રહેલા ભારતીય સેનાના INS ખુખરી યુદ્ધ જહાજે પાકિસ્તાની submarine ના હુમલામાં જળ સમાધી લીધી હતી, જેની કાયમી યાદ દીવમાં જળવાઈ રહે તે માટે યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિ દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે, જેમાં યુદ્ધ જહાજના વીર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા અને યોદ્ધાઓને લોકો જાણી અને તેના ગૌરવવંતા ઇતિહાસને ફરી એક વખત નજર સમક્ષ મેળવી શકે તે માટે મેમોરિયલ ની સ્થાપના કરવામાં આવશે. દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મોમોરિલ
દીવના પ્રશાસક પ્રફુલ પટેલ કરશે લોકાર્પણ INS ખુખરી મેમોરિયલ (INS Khukhari Memorial Diu) જે જહાજમાં બનવા જઈ રહ્યું છે તે વિશાખાપટ્ટનમથી દીવ આવી પહોંચ્યું છે, જેને અન્ય બોટના સહારે દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે, જેનું 26મી જાન્યુઆરીના દિવસે દીવના પ્રશાસક પ્રફુલ પટેલ લોકાર્પણ કરવાના છે 171 કરતાં વધુ જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી
વર્ષ 1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ભારતીય સેનામાં યુદ્ધ જહાજ તરીકે કામ કરતા 2 INS ખુખરી મુંબઈ અને વિશાખાપટ્ટનમથી દીવ તરફ લડાઈમાં સામેલ થવા માટે આવી રહ્યા હતા, જે પૈકીના મુંબઈથી દીવ આવી રહેલા ખુખરી યુદ્ધ જહાજ પાકિસ્તાની સબમરીનના ષડયંત્રને કારણે દરિયામાં જળસમાધિ લીધી હતી, જેમાં 171 કરતાં વધુ જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી હતી, જેના માનમાં દીવમાં આજે પણ ખુખરી મેમોરિયલ અસ્તિત્વમાં છે. મેમોરીયલ આગામી 26મી જાન્યુઆરીએ શરૂ થશે આવનારા દિવસોમાં યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિમાં દીવ આવતા પ્રવાસીઓ યુદ્ધ જહાજ ખુખરીની બાહોશી અને નીડરતા ભરી કહાનીની સાથે ભારતીય સેનાના 171 કરતાં વધુ કેપ્ટન અને વીર જવાનોની સાથે અન્ય લોકોની શહીદીને ફરી એક વખત નજર સમક્ષ ઉતારી શકે તે માટે આ મેમોરીયલ આગામી 26મી જાન્યુઆરીએ શરૂ થવા જઈ રહ્યું છે.

संबंधित पोस्ट

શેરબજારમાં ટોચની 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપમાં 2.50 લાખ કરોડનો વધારો થયો, જાણો કોણ છે નંબર 1

Karnavati 24 News

Kooના ડાઉનલોડ્સ 50 મિલિયનને પાર, CEOએ કહ્યું – ભારતનું સૌથી મોટું હિન્દી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ તૈયાર

Admin

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

SBIના ખાતાધારકો આનંદો! હવે ફીચર ફોનથી ફંડ ટ્રાન્સફર માટે SMS ચાર્જ નહીં ચૂકવવો પડે

Karnavati 24 News

અદાણી ગ્રુપના આ 4 શેર છેલ્લા 6 મહિનાથી લૂંટાઈ રહ્યા છે, 99થી વધીને 226 ટકા થઈ ગયા

Karnavati 24 News

શું તમે પણ UPIથી ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટ કરો છો, તો સવધાન, NPCIએ કહી આ મોટી વાત…

Karnavati 24 News
Translate »