Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

INS Khuhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

 

ભારતીય સેનાના INS ખુખરી (INS Khukhari Memorial Diu) યુદ્ધ જહાજે પાકિસ્તાની submarine ના હુમલામાં જળ સમાધી લીધી હતી, જેની કાયમી યાદ દીવમાં જળવાઈ રહે તે માટે યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિ દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે.
દીવ : વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની લડાઈમાં મુંબઈ તરફથી આવી રહેલા ભારતીય સેનાના INS ખુખરી યુદ્ધ જહાજે પાકિસ્તાની submarine ના હુમલામાં જળ સમાધી લીધી હતી, જેની કાયમી યાદ દીવમાં જળવાઈ રહે તે માટે યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિ દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે, જેમાં યુદ્ધ જહાજના વીર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા અને યોદ્ધાઓને લોકો જાણી અને તેના ગૌરવવંતા ઇતિહાસને ફરી એક વખત નજર સમક્ષ મેળવી શકે તે માટે મેમોરિયલ ની સ્થાપના કરવામાં આવશે. દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મોમોરિલ
દીવના પ્રશાસક પ્રફુલ પટેલ કરશે લોકાર્પણ INS ખુખરી મેમોરિયલ (INS Khukhari Memorial Diu) જે જહાજમાં બનવા જઈ રહ્યું છે તે વિશાખાપટ્ટનમથી દીવ આવી પહોંચ્યું છે, જેને અન્ય બોટના સહારે દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે, જેનું 26મી જાન્યુઆરીના દિવસે દીવના પ્રશાસક પ્રફુલ પટેલ લોકાર્પણ કરવાના છે 171 કરતાં વધુ જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી
વર્ષ 1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ભારતીય સેનામાં યુદ્ધ જહાજ તરીકે કામ કરતા 2 INS ખુખરી મુંબઈ અને વિશાખાપટ્ટનમથી દીવ તરફ લડાઈમાં સામેલ થવા માટે આવી રહ્યા હતા, જે પૈકીના મુંબઈથી દીવ આવી રહેલા ખુખરી યુદ્ધ જહાજ પાકિસ્તાની સબમરીનના ષડયંત્રને કારણે દરિયામાં જળસમાધિ લીધી હતી, જેમાં 171 કરતાં વધુ જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી હતી, જેના માનમાં દીવમાં આજે પણ ખુખરી મેમોરિયલ અસ્તિત્વમાં છે. મેમોરીયલ આગામી 26મી જાન્યુઆરીએ શરૂ થશે આવનારા દિવસોમાં યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિમાં દીવ આવતા પ્રવાસીઓ યુદ્ધ જહાજ ખુખરીની બાહોશી અને નીડરતા ભરી કહાનીની સાથે ભારતીય સેનાના 171 કરતાં વધુ કેપ્ટન અને વીર જવાનોની સાથે અન્ય લોકોની શહીદીને ફરી એક વખત નજર સમક્ષ ઉતારી શકે તે માટે આ મેમોરીયલ આગામી 26મી જાન્યુઆરીએ શરૂ થવા જઈ રહ્યું છે.

संबंधित पोस्ट

ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ વિસ્ફોટના અવાજથી ગભરાટ; ગેસ લીકને રોકવાનો પ્રયાસ કરીને જગ્યા ખાલી કરાવી

Karnavati 24 News

નાની રકમથી મોટી કમાણી, જાણો ક્યાં રોકાણ પર તમે વધુ વળતર મેળવી શકો છો

Karnavati 24 News

GSTના ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર થશે સરકાર 5% થી 8%નો સ્લેબ વધારશે

Karnavati 24 News

કચ્છી ઉંટની માંગ વધી, કોઈમ્બ્તુરના ખરીદદારે ૪૨ હજારમાં ખરીદ્યા ઉંટ

Karnavati 24 News

સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 25નો વધારો ઝીંકાયો, 5વાર બે મહિનામાં વધારો ઝીંકાયો

Karnavati 24 News

મોરબીમાં સિરામીક ફેક્ટરી અને રહેણાંક પર ઇન્કમટેક્સના દરોડા, બેનામી વ્યવહારો મળવાની શક્યતા

Karnavati 24 News