Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગર જિલ્લાની પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં કુલ ૪૨૮૪ પ્લોટ તથા શેડની ફાળવણી કરવામાં આવી છે: ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત



(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર/જામનગર,

વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં જામનગર જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોની વિગતો આપતાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જી.આઇ.ડી.સી. દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકા પૈકી ૧૪૯ તાલુકામાં અંદાજે ૨૩૯ વસાહતો આવેલી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર જિલ્લાની કુલ પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં ૩૬૬૦ પ્લોટ તથા ૬૨૪ શેડની ફાળવણી કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં શેખપાટ ખાતે ૩૬.૭૬ હેકટર વિસ્તાર અને આણંદપર ખાતે ૩૨.૪૫ હેકટર જેટલી સરકારી જમીનોના આગોતરા કબજા મેળવીને નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ સિવાય, જામજોધપુર અને લાલપુર તાલુકામાં નવી વસાહત સ્થાપવા બાબતે મંત્રીશ્રીએ કહ્યું કે આ અંગે અનુકૂળ જમીનની વિગતો મોકલી આપવા જામનગર જિલ્લા કલેકટરશ્રી પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. આ વિગતો મળ્યેથી નિગમ દ્વારા ઉક્ત સ્થળોએ વસાહત સ્થાપવાની શક્યતા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

Registrarse sobre Casino Pause and Play ?De que forma no me registro?

Gujarat Desk

100 બટાલિયન, રેપિડ એક્શન ફોર્સ, વસ્ત્રાલ, અમદાવાદના પરિસરમાં CRPF દિવસ-2025ની ઉત્સાહભેર ઉજવણી

Gujarat Desk

વડોદરામાં સૈન્ય શસ્ત્રોનું પ્રદર્શ, નજીકથી લોકોએ જાણી આર્મીની તાકાત, મુકાયા આ શસ્ત્રો

Admin

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય

Gujarat Desk

દિલ્હી સરકાર દિવાળી પર પ્રમાણિત ગ્રીન ફટાકડાના ઉપયોગની મંજૂરી આપવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરશે: મુખ્યમંત્રી રેખા ગુપ્તા

Gujarat Desk

ગુજરાતમાં કમોસમી વરસાદ, ભારે પવન: 4 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Desk
Translate »