Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગર જિલ્લાની પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં કુલ ૪૨૮૪ પ્લોટ તથા શેડની ફાળવણી કરવામાં આવી છે: ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત



(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર/જામનગર,

વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં જામનગર જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોની વિગતો આપતાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જી.આઇ.ડી.સી. દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકા પૈકી ૧૪૯ તાલુકામાં અંદાજે ૨૩૯ વસાહતો આવેલી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર જિલ્લાની કુલ પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં ૩૬૬૦ પ્લોટ તથા ૬૨૪ શેડની ફાળવણી કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં શેખપાટ ખાતે ૩૬.૭૬ હેકટર વિસ્તાર અને આણંદપર ખાતે ૩૨.૪૫ હેકટર જેટલી સરકારી જમીનોના આગોતરા કબજા મેળવીને નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ સિવાય, જામજોધપુર અને લાલપુર તાલુકામાં નવી વસાહત સ્થાપવા બાબતે મંત્રીશ્રીએ કહ્યું કે આ અંગે અનુકૂળ જમીનની વિગતો મોકલી આપવા જામનગર જિલ્લા કલેકટરશ્રી પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. આ વિગતો મળ્યેથી નિગમ દ્વારા ઉક્ત સ્થળોએ વસાહત સ્થાપવાની શક્યતા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

રાજ્યની મહિલા ખેલાડીઓ કોઈ પણ એક રમતમાં “મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ ૨૦૨૪-૨૫”માં ભાગ લેવા  તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે

Gujarat Desk

કોરોના બ્લાસ્ટ:વાઈબ્રન્ટના 10 દિવસ પહેલાં શહેરમાં 9 સહિત જિલ્લામાં કોરોનાના 17 કેસ

Karnavati 24 News

છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં બિન ખેતી માટેની પરવાનગી માંગતી કુલ ૧,૩૭૦ અરજીઓ મંજૂર: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk

જેસરના તાંતણીયા ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી છઠ્ઠો સમૂહ લગ્ન સમારંભ યોજાયો

Karnavati 24 News

34.47 કરોડના ખર્ચે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની 12 શાળાના 173 ક્લાસરૂમ

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ

Gujarat Desk
Translate »