પ્રદેશ Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/region Fri, 11 Apr 2025 06:13:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png પ્રદેશ Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/region 32 32 ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ https://karnavati24news.com/news/30947 https://karnavati24news.com/news/30947#respond Fri, 11 Apr 2025 06:13:05 +0000 https://karnavati24news.com/?p=30947 (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર,             ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.            અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીની ચળવળમાં શ્રી સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના...

The post ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,     

       ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

           અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીની ચળવળમાં શ્રી સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતાં આઝાદીના રંગે રંગાયા હતા. તેઓએ વર્ષ – ૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેઓ વર્ષ – ૧૯૧૦માં શ્રી સાવરકરના કેસને હેગ અદાલત સુધી લઇ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સૌ પ્રથમ ફ્રાન્સમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ માર્ટીનિક ટાપુ ઉપર ૬ વર્ષ સુધી જેલવાસ પણ તેમણે ભોગવ્યો હતો. શ્રી સરદારસિંહ રાણાની બીજા વિશ્વયુદ્ધ વખતે પણ ધરપકડ કરવામાં આવી હતી અને જયારે દેશ આઝાદ થયો ત્યારે તેઓ ભારત પરત આવ્યા બાદ હતા.  શ્રી સરદારસિંહ રાણાનું નિધન ૨૫ મે, ૧૯૫૭ના રોજ વેરાવળ ખાતે થયું હતું.     

            આ પ્રસંગે વિધાનસભાના નાયબ સચિવ શ્રી એમ.એચ. કરંગીયા, નાયબ સચિવ ડૉ. હર્ષિલ પટેલ અને ઉપસચિવ શ્રી ચિરાગ પટેલ સહીત વિધાનસભાના   ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને રાજ્યની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ પૂજય સરદારસિંહ રાણાના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

The post ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30947/feed 0
અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા https://karnavati24news.com/news/30944 https://karnavati24news.com/news/30944#respond Fri, 11 Apr 2025 05:06:02 +0000 https://karnavati24news.com/?p=30944 (જી.એન.એસ) તા. 10 અમદાવાદ, અમદાવાદ શહેરમાં આશરે સ્વ મહિના પહેલા સરદારનગર વિસ્તારમાં થયેલ એક યુવકની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીને ઝડપી પાડયા છે. યુવકની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી હસમુખ ઉર્ફે ભરત ખટીક, નાસીર હુસેન ઉર્ફે મામા શેખ, દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવાહ અને સુનિલ ઉર્ફે શિવા કોરીની હત્યા કેસમાં...

The post અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં આશરે સ્વ મહિના પહેલા સરદારનગર વિસ્તારમાં થયેલ એક યુવકની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીને ઝડપી પાડયા છે.

યુવકની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી હસમુખ ઉર્ફે ભરત ખટીક, નાસીર હુસેન ઉર્ફે મામા શેખ, દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવાહ અને સુનિલ ઉર્ફે શિવા કોરીની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો 25 ફેબ્રુઆરીના રોજ મૃતક 23 વર્ષના જગરામ પાટીલ નામના યુવકને અજાણ્યા શખ્સોએ લાકડીઓથી માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ શંકાસ્પદ મોત મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બાતમીના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હસમુખ ઉર્ફે ભરતનો મોબાઈલ મૃતક જગરામએ છીનવાનો પ્રયત્ન કરતા તેને લાકડીઓથી ફટકા મારવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

પકડાયેલા ચારે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી બુટલેગર હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન અને મારામારીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. તેઓ વિરુદ્ધ પાસા સુધીની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આ આરોપીઓ મૃતકને મોબાઈલની ચોરી કરવા અદાવતમાં માર મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ચારેય આરોપીની ધરપકડ કરીને સરદાર નગર પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે. જ્યાં પોલીસ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરશે.

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, 25 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે મૃતક જગરામ પાટીલ નરોડા રેલવે સ્ટેશન તરફથી મેઈન રોડ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન આરોપી ભરત વોશરૂમ માટે ગયો હતો. મૃતક જગરામને અંધારામાં દેખાતું ન હતું, તેવા સંજોગોમાં ત્યાં હાજર આરોપી ભરતે મોબાઈલથી ફ્લેશ લાઈટ ચાલુ કરતા મૃતકે મોબાઈલ છીનવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપી ભરતે મૃતકને પકડીને અન્ય તેના મિત્રોને બોલાવીને લાકડીઓ અને મુક્કાઓથી માર માર્યો હતો. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.

The post અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30944/feed 0
સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ https://karnavati24news.com/news/30941 https://karnavati24news.com/news/30941#respond Fri, 11 Apr 2025 03:35:32 +0000 https://karnavati24news.com/?p=30941 (જી.એન.એસ) તા. 10 સુરત, ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને પછી મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથપાઈ સુધી પંહોચી. ઘટનામાં મહિલાઓને...

The post સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

સુરત,

ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને પછી મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથપાઈ સુધી પંહોચી. ઘટનામાં મહિલાઓને ઇજા પંહોચતા પોલીસે હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરી.

સરદાર માર્કેટમાં મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં દેખાય છે કે બે શખ્સ કે જે સિક્યુરિટી ગાર્ડ તરીકેની કામગીરી કરી છે તેઓ મહિલાઓ સાથે માથાકૂટ કરી રહ્યા છે. સિક્યુરીટી ગાર્ડ અને મહિલાઓ વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી. સામાન્ય બબાલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. જેના બાદ મહિલાઓના પરીવારના લોકોએ પણ સિક્યુરિટી ગાર્ડને માર્યા હતા. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સિક્યુરિટી ગાર્ડ દોષિત હોવાનું સામે આવતા પોલીસે આરોપી અનિલ ઉમાશંકર તિવારી અને આદિત્યકુમાર રાજેશ કુમાર સીંગની ધરપકડ કરી. વાયરલ વીડિયોના આધારે પુણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના સુરતમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં બે શખ્સો માતા-દીકરીને માથાના વાળ પકડીને ઢસેડી અને લાકડી વડે માર મારી રહ્યાનો વીડિયો સુરત APMCનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પુણા પોલીસે વીડિયોને આધારે સીસીટીવી ચકાસીને 48 વર્ષીય અનિલ તિવારી અને 26 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ આદિત્યકુમારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર ઘટના મામલે ડીસીપીએ પ્રતિક્રિયા આપી હતી કે, ગત 6 એપ્રિલના રોજનો સુરત APMCના ગેટ નં.2 પાસેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રીને માર મારતા જોવા મળે છે. જો કે, મહિલા તેના પતિ અને પુત્રી અવારનવાર શાકમાર્કેટમાં ચોરી કરવા માટે આવતા હતા. જેથી એ દિવસે સિક્યુરિટી ગાર્ડ મહિલા અને તેના પતિ-પુત્રીની ઓળખ કરી લેતા તેમને અંદર જતા રોક્યા હતા. જેમાં બોલાચાલી થઈ હતી. જેમાં મહિલાના પતિએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું માથુ ફાટી ગયું હતું. જ્યારે અન્ય એકના હાથે ફેક્ચર થઈ ગયું છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રી પર એટેક કર્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

The post સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30941/feed 0
મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો https://karnavati24news.com/news/30938 https://karnavati24news.com/news/30938#respond Fri, 11 Apr 2025 02:34:55 +0000 https://karnavati24news.com/?p=30938 (જી.એન.એસ) તા. 10 મહેસાણા, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવવા જતા પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો. જો કે, તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના બાબતે મળતી...

The post મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

મહેસાણા,

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવવા જતા પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો. જો કે, તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, ડભોડા ગામના પાદરે આવેલા તૌરાબોરુ તળાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો. પાણીમાં ગરકાવ થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જોકે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફરી વળી હતી.

The post મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30938/feed 0
રત્નકલાકારોની તબિયત લથડી હતી, આ કેસમાં પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેશે https://karnavati24news.com/news/30935 https://karnavati24news.com/news/30935#respond Fri, 11 Apr 2025 01:28:39 +0000 https://karnavati24news.com/?p=30935 (જી.એન.એસ) તા. 10 સુરત, સુરતના કપોદ્રામાં અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. લગભગ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની...

The post રત્નકલાકારોની તબિયત લથડી હતી, આ કેસમાં પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેશે appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

સુરત,

સુરતના કપોદ્રામાં અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. લગભગ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની સેલફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાની સામે આવ્યું છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં 6 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે, જ્યાં પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. જેથી પાણીના કુલરમાં તપાસ કરતા તેમાં સેલફોસની પડીકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

તેમજ આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘શંકાસ્પદ જણાયેલા ચારથી પાંચ જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ ટીમો બનાવીને વધુ તપાસ ચાલી રહી છે. અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અનભ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીની પૂછપરછ હજુ કંઈ નક્કર વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 50 જેટલા નિવેદન પણ લેવામાં આવ્યા છે. 

The post રત્નકલાકારોની તબિયત લથડી હતી, આ કેસમાં પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેશે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30935/feed 0
ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ https://karnavati24news.com/news/30932 https://karnavati24news.com/news/30932#respond Fri, 11 Apr 2025 00:05:52 +0000 https://karnavati24news.com/?p=30932 કેન્દ્રીય આયુષમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવ અને ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો, સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ હોમીયોપેથી...

The post ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ appeared first on Karnavati 24 News.

]]>

કેન્દ્રીય આયુષમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવ અને ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો, સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ હોમીયોપેથી કાઉન્સીલના ઉપક્રમે ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. દેશભરના રાજ્યોના હોમીયોપેથી સાથે સંકળાયેલા તબીબો, છાત્રો અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓ-સંગઠનો આ કોન્ફરન્સમાં સહભાગી થવાના છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિવેન્ટીવ અને પ્રાયમરી હેલ્થકેરને મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જૂ ગણવાતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં હોલીસ્ટીક હેલ્થકેરનું વાતાવરણ ઉભું થયું છે. આના પરિણામે ટેડિશનલ મેડિસીન પ્રત્યેનું મહત્વ અને આકર્ષણ વધ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે હોમીયોપેથીના પાયાની રચના કરનારા અને માનવસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ડો.સેમ્યુઅલ હેનિમેનને ભાવાંજલી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અધ્યયન, અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથે આયોજીત આ સંમેલન હોમીયોપેથીના વ્યાપ વિસ્તરણમાં મહત્વપૂર્ણ બનશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે સસ્ટેનેબલ હોમીયોપેથી હેલ્થકેર એપ્રોચ ધરાવતી હોમીયોપેથી સહિતની ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિઓને પહેલાં ક્યારેય મહત્વ મળ્યું ન હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર અલાયદું આયુષ મંત્રાલય કાર્યરત કરાવીને આયુર્વેદ, યુનાની, નેચરોપેથી અને હોમીયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને પ્રચારને મહત્વ આપ્યું છે.

નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમીયોપેથીને દેશની સરકારી હોસ્પીટલોમાં અને વેલનેસ સેન્ટર્સમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં હોમીયોપેથીમાં ક્વોલિટી એજ્યુકેશન માટે હોમીયોપેથી સેન્ટ્રલ કાઉન્સીલ એક્ટમાં બદલાવ પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં થયો છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આયુષમંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં બદલાવો આવ્યાં છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે જામનગરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો નવો માઇલસ્ટોન છે.

તેમણે ગુજરાતમાં આ અલ્ટરનેટીવ સારવાર પદ્ધતિને અપાઇ રહેલા મહત્વની વિગતો આપતાં કહ્યું કે દેશભરના રાજ્યોમાં ગુજરાત 48 હોમીયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે.     

મુખ્યમંત્રીશ્રીએ હેલ્થકેર ફોર ઓલ ના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવામાં આ કોન્ફરન્સ યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.  તેમણે વડાપ્રધાનશ્રી એ આપેલા નવ સંકલ્પોમાં પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, યોગ અને રમતને જીવનશૈલી બનાવવી જેવાં સ્વાસ્થ્ય સુખાકારી સાથે જોડાયેલા સંકલ્પો સાકાર કરવામાં યોગદાન માટે સૌને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં આહવાન કર્યું હતું. 

      કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે વિશ્વ હોમિયોપેથી દિવસની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નક્શા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦- ૧૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથી સંમેલનનું યજમાન બન્યું છે જે ગૌરવ સમાન છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આપણે સૌએ ભારતની હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ ઉપર ગર્વ અનુભવવો જોઈએ. કેન્દ્રીય હોમિયોપેથી અનુસંધાન પરિષદે ઔષધી વનસ્પતિઓને ઉગાડવા તરફ આગેકૂચ કરી છે. પરિષદે ૩૬૮ દવાઓ ઉપર ફાર્માકોગ્નોસી અઘ્યયન કર્યું છે, ૩૬૨ દવાઓ ઉપર ભૌતિક અને રાસાયણિક અઘ્યયન અને ૧૫૧ ઔષધિઓ ઉપર અઘ્યયન કર્યું છે. જેના ભાગરૂપે તમિલનાડુના ઉટીમાં કેન્દ્રીય અનુસંધાન સંસ્થામાં ૧૭ હજારથી વધુ હરબેરિયમ શીટ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ શીટનું ડિઝિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આવનાર ભવિષ્યમાં વનસ્પતિ જ્ઞાનને વધુ સંરક્ષિત કરવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘રોગ મુક્ત ભારત અભિયાન’માં હોમીયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે. જેમાં હોમિયોપેથી ડૉક્ટર, વિધાર્થીઓ, ઉદ્યોગ જગત તેમજ દેશના ખેડૂતોને પણ આપણે સાથે રાખવા જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અન્નદાતા કહીને એમનું સન્માન વધાર્યું છે. ખેડૂતોની મદદ માટે હરહંમેશ વડાપ્રધાન તૈયાર રહે છે. આજે ઉદ્યોગજગત સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને હું અનુરોધ કરું છું કેવી રીતે આપણે ખેડૂતોને સાથે રાખીને ઔષધિય ખેતી થકી ઉપચાર માટે એમની મદદ લઈ શકીએ તે અંગે આપણે સૌએ તત્વ ચિંતન કરવું જોઈએ.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ૧૦મા વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન રહ્યું છે. આજના સમયમાં એલોપથીની જેમ જ હોમિયોપેથીનું પણ મહત્વ વધતું જાય છે હોમિયોપથીમાં દર્દી સાથે આત્મીયતા રાખીને તેમની દિનચર્યાના આધારે ઈલાજ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર માટે અનેકવિધ નિર્ણય કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ મંત્રાલયની રચના કરીને આરોગ્ય ક્ષેત્રમાં સારવારની નવી તકો ઉભી કરી છે. હોમિયોપથી સેક્ટરમાં નવીન સંશોધન કરીને આપણે વધુ સારી અને સચોટ સારવાર આપી શકીએ તેમ, મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે,દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ૪૮ હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. હાલમાં ૪૩૬૦ અંડર ગ્રેજયુએટ અને ૩૨૨ પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે. હાલમાં અંદાજે ૧૫ લાખ જેટલા દર્દીઓ હોમીઓપેથી ચિકિત્સાનો લાભ લ‌ઈ રહ્યા છે જે ગૌરવ સમાન છે.

મંત્રી શ્રી પટેલ કહ્યું હતું કે, રાજ્યના સરકારી હોમિયોપેથી કોલેજમાં ચર્મરોગ, શ્વસનતંત્ર, સાંધા, સ્ત્રીરોગ વગેરે ૧૧ પ્રકારની સ્પેશિયાલિટી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિદ્ધપુર ખાતેની સરકારી હોમિયોપેથી કોલેજ અને તેની હાલની 25 બેડની હોસ્પિટલને આગામી 100 બેડ સુધી વિસ્તારમાં આવશે. આયુષ અંતગર્ત આર્યુવેદ, હોમિયોપેથી વગેરેના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ સહયોગ કરવા કટિબદ્ધ તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, બે શતાબ્દી કરતા વધુ સમયથી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ દ્વારા સચોટ ઇલાજ કરવામાં આવી રહ્યો છે. હોમિયોપેથીના જનકનો જન્‍મ જર્મનીમાં થયો છે પરંતુ આ ક્ષેત્રમાં સૌથી વધુ કામ ભારતમાં થઈ રહ્યું છે. આ પદ્ધતિમાં નવીન સંશોધન માટે રાષ્ટ્રીય કક્ષાએ અનેક કોલેજોમાં નવા નવા સંશોધન થઈ રહ્યા છે. શ્રી કોટેચાએ ગુજરાતમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આયોજિત સંમેલનના સફળ આયોજન બદલ ગુજરાત સરકારનો આભાર માની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપથીના મહાનિર્દેશક ડૉ. સુભાષ કૌશિકે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) દ્વારા સંયુક્ત રીતે તા.૧૦-૧૧ એપ્રિલ, ૨૦૨૫ના જે સંમેલન યોજવામાં આવી રહ્યું છે તે હોમિયોપેથીના ક્ષેત્રમાં એક મજબૂત નીવ છે.

કાર્યક્રમના અંતે નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના ઇન ચાર્જ ચેરમેન ડૉ. પિનાકીન ત્રિવેદીએ આભાર વિધિ કરીને સંમેલનમાં સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે હોમિયોપેથીની ૦૭ પુસ્તિકા, ૦૧ સોવિનિયર, હોમિયોપેથીને લગતું એક ઇ- પોર્ટલ તેમજ એક ડોક્યુમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું.

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની પ્રતિમાને મહાનુભાવો દ્વારા આ પ્રસંગે પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાતના રાષ્ટ્રીય હોમિયોપેથી સંસ્થાના નિર્દેશક ડૉ.પ્રલય શર્મા, આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી મોનાલીસા દાસ, હોમિયોપેથીના સલાહકાર ડૉ. સંગીતા દુગ્ગલ અને આયુષ મંત્રાલય સાથે સંકળાયેલા ડોકટરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રધ્યાપકો, ફાર્માસિસ્ટ તેમજ વિવિધ હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

The post ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30932/feed 0
મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છેલ્લાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો https://karnavati24news.com/news/30929 https://karnavati24news.com/news/30929#respond Thu, 10 Apr 2025 23:04:35 +0000 https://karnavati24news.com/?p=30929 ″સહી પોષણ દેશ રોશન” અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૪૪ લાખથી વધુ લાભાર્થીઓને પોષણ અપાયું (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સગર્ભા સ્ત્રીઓ અને...

The post મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છેલ્લાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો appeared first on Karnavati 24 News.

]]>

″સહી પોષણ દેશ રોશન” અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૪૪ લાખથી વધુ લાભાર્થીઓને પોષણ અપાયું

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સગર્ભા સ્ત્રીઓ અને ૨ વર્ષનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર પ્રદાન કરીને માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુથી અમલી બનાવવામાં આવી છે。

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન પાંચ લાખથી વધુ લાભાર્થીઓને પોષણ પૂરું પાડવામાં આવ્યું છે. જે માટે રાજ્ય સરકારે રૂ. ૩૫૪.૧૫ કરોડની નાણાકિય જોગવાઇ કરાઈ છે. માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો કરવા માટે જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. જે ગર્ભધારણથી બાળકના બીજા જન્‍મદિવસ વચ્‍ચેનો એક અનન્‍ય સમયગાળો છે જે દરમિયાન શ્રેષ્ઠ સ્‍વાસ્‍થ્‍ય, વૃદ્ધિ અને સમગ્ર જીવનકાળમાં માનસિક વિકાસ સ્‍થાપિત થાય છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ ૨૦૨૨થી અમલી બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ ૧૦૦૦ દિવસને તકની પ્રથમ બારી ગણવામાં આવે છે. આ તબક્કા દરમિયાન માતાઓને તેમના વિકાસતા ગર્ભને અને ત્‍યારબાદ  સ્‍તનપાન કરાવવા માટે પ્રોટીન, ચરબી અને વિટામિન્‍સ જેવા વધુ પોષક તત્વોની જરૂર હોય છે.

આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને ૨ વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરાવેલ માતાને લાભ મળે છે. જેમાં લાભાર્થીને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર સિંગતેલ દરમાસે આપવામાં આવે છે.  આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ છે。 

 વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ, સમગ્ર દેશમાં શરૂ કરેલ રાષ્ટ્રીય પોષણ અભિયાનનો નિશ્ચિત ધ્યેય હાંસલ કરવાની દિશામાં ગુજરાત સરકાર જન્મથી ૬ વર્ષના  બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે પૌષ્ટીક આહાર પુરો પાડવા માટે  ″સહી પોષણ દેશ રોશન” નાં આહવાહનને ચરીતાર્થ કરવા વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૪૪ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ મહિલાઓની માતૃત્વ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2003માં ભારત સરકારે 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

The post મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છેલ્લાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30929/feed 0
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના ૨૯માં મેળાના સમાપન પ્રસંગે પધાર્યા https://karnavati24news.com/news/30926 https://karnavati24news.com/news/30926#respond Thu, 10 Apr 2025 21:57:58 +0000 https://karnavati24news.com/?p=30926 વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાની જ્ઞાતિઓ, નાના સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હંમેશા પ્રયાસ કર્યો : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાની જ્ઞાતિઓ, નાના સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. નટ બજાણીયા બાજીગર સમાજ...

The post મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના ૨૯માં મેળાના સમાપન પ્રસંગે પધાર્યા appeared first on Karnavati 24 News.

]]>

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાની જ્ઞાતિઓ, નાના સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હંમેશા પ્રયાસ કર્યો : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાની જ્ઞાતિઓ, નાના સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. નટ બજાણીયા બાજીગર સમાજ સહિત વિચરતી વિમુક્ત જાતિના અન્ય વર્ગોને મુખ્ય ધારામાં જોડવામાં સરકારે સફળતા મેળવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના ૨૯માં મેળાના સમાપન પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું.

અમદાવાદના સાણંદ તાલુકાના મોતીપુરા(મોટી દેવતી) ગામમાં પૂજ્ય જયશ્રી દાદા મોતીરામનો ૨૯મો ત્રિદિવસીય ભવ્ય મેળો યોજાયો છે.

નટ બજાણીયા સમાજના આરાધ્ય મોતીરામ દાદાનું પુરાતન મંદિર મોતીપુરા ગામમાં આવેલુ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દરેક જનહિતલક્ષી યોજના છેવાડાના, સામાન્ય, ગરીબ વર્ગના વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ઘડવામાં આવે છે, આથી સરકારની દરેક કલ્યાણકારી યોજના સફળ થાય છે.

તેમણે ઉમેર્યું કે, વિચરતી વિમુક્ત જાતિના લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવો થોડો મુશ્કેલ છે. વિચરતા હોવાને કારણે ક્યારેક કોઈ યોજનાનો લાભ કોઈ લોકો સુધી ન પહોંચે ત્યારે, યોજનાના સેચ્યરેશનની મુહિમ ચલાવીને બાકી રહેલા લાભાર્થીઓને લાભ પહોંચાડવાની પરિપાટી વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સરકારે અપનાવી છે. નાગરિકોને હવે ઘેર બેઠા તમામ યોજનાના લાભ મળતા થયા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નટ બજાણીયા સમાજના કિશોરો – યુવાનો હવે શિક્ષણના માર્ગે વળ્યા છે તે સરાહનીય છે. બાળકો અભ્યાસ કરી શકે તે માટે લોન-ધિરાણ અપાય છે. આવા ૨૫૦ થી વધુ લાભાર્થી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સવા ત્રણ કરોડથી વધુ લોન સહાય આપી છે.

લગભગ ૮૮ કરોડ રૂપિયાના લોન-ધિરાણ વિચરતી અને વિમુક્ત જાતિના બહેનો, યુવાઓને સ્વરોજગારી માટે સરકારે આપ્યા છે. ગુજરાતના દરેક જિલ્લામાં વિચરતી જાતિને આવાસ બાંધવા જમીનો સરકારે આપી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય દાદા મોતીરામ ધામના સાનિધ્યમાં આયોજિત સાંસ્કૃતિક મેળા સંદર્ભે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ગુરુપ્રધાન સંસ્કૃતિ છે. ભગવાન સુધી પહોંચવાનું માધ્યમ ગુરુ છે. પૂજ્ય દાદા મોતીરામ એવા જ એક સમર્થ ગુરુ અને માર્ગદર્શક હતા.

તેમણે કહ્યું કે, નટ બજાણીયા સમાજ વ્યસનમુક્તિને વળગી રહ્યો છે. સમાજમાં કોઈ વ્યક્તિ વ્યસન કરતા પકડાય તો સમાજની પોતાની જેલ છે તેમાં પૂરી દેવાય છે. 

મુખ્યમંત્રીશ્રીએ નટ–બજાણીયા બાજીગર સમાજની આ સ્વયમશિસ્ત અને વ્યસનનિર્મૂલન માટેની સામાજિક વ્યવસ્થાને બિરદાવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ત્રિ–દિવસીય મેળાના વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અંગે ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી મેળાના આયોજનની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, મોતીપુરા ગામના સરપંચ શ્રી બાબુભાઈ નાયક, પંચાયત પ્રમુખ શ્રી શૈલેષ દાવડા, પૂર્વ પ્રમુખ શ્રી જે. પી. વાઘેલા, શ્રી કિરીટસિંહ વાઘેલા તેમજ સામાજિક અગ્રણી શ્રી ભરતભાઈ નાયક, હેમુભાઇ નાયક, કમલભાઈ નાયક, માનસિંગ નાયક તથા નટ બજાણીયા બાજીગર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

The post મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના ૨૯માં મેળાના સમાપન પ્રસંગે પધાર્યા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30926/feed 0
બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી https://karnavati24news.com/news/30923 https://karnavati24news.com/news/30923#respond Thu, 10 Apr 2025 20:19:26 +0000 https://karnavati24news.com/?p=30923 (જી.એન.એસ) તા. 10 અમદાવાદ, મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આપવાના કૌભાંડમાં ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે,જેમા અમદાવાદ, સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે,16 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરાયા છે જેમા સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે,અગાઉ એટીએસના અધિકારીઓ દ્વારા 7 આરોપીઓની ધરપકડ...

The post બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

અમદાવાદ,

મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આપવાના કૌભાંડમાં ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે,જેમા અમદાવાદ, સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે,16 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરાયા છે જેમા સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે,અગાઉ એટીએસના અધિકારીઓ દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતમાં બોગસ ડોકયુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવીને રોલો પાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે, ખોટી રીતે લાયસન્સ મેળવીને હથિયાર મેળવનાર 16 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, અમદાવાદ, સુરત, બોટાદામાં સૌથી વધારે ફેક લાયસન્સ બન્યા છે, અનિલ રાવલ, અર્જન ભરવાડ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડની પોલીસે ધરપકડ કરી છે. ખોટી રીતે અને ખોટા ડોકયુમેન્ટના આધારે ફેક લાયસન્સ બનાવવામાં આવ્યા હતા.આ તમામ હથિયારો નાગાલેન્ડથી મંગાવવામાં આવતા હતા અત્યાર સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ કૌંભાડ ફકત ગુજરાત પુરૂતું નહી પરંતુ ભારતના અન્ય જીલ્લાઓ સુધી ફેલાયેલું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા નકલી લાઇસન્સ બનાવી આપનાર ગેંગના કુલ 7 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસે થી 6 હથિયાર અને 135 રાઉન્ડ પણ કબ્જે કરવામાં આવ્યા હતા,આરોપીઓ હરિયાણાના સોકતઅલી છોટુ ખાન,ફારુખ અલી અને આસીફ નામના આરોપીઓ હરિયાણામાં ગન શોપ ધરાવે છે અને જે લોકો નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાઇસન્સ બનાવીને પોતાની ની દુકાનથી હથિયારનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.

The post બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30923/feed 0
રાજ્ય સરકારે કર્યા 16 IASની બદલીના આદેશ  https://karnavati24news.com/news/30906 https://karnavati24news.com/news/30906#respond Thu, 10 Apr 2025 03:54:29 +0000 https://karnavati24news.com/?p=30906 રાજ્યમાં બદલી અને બઢતીનો દૌર  (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, 9 એપ્રિલ, 2025ના રોજ રાજ્ય સરકારે 16 IASની બદલીના આદેશ કરાયા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગાંધીનગર મુકાયા છે.

The post રાજ્ય સરકારે કર્યા 16 IASની બદલીના આદેશ  appeared first on Karnavati 24 News.

]]>

રાજ્યમાં બદલી અને બઢતીનો દૌર 

(જી.એન.એસ) તા. 9

ગાંધીનગર,

9 એપ્રિલ, 2025ના રોજ રાજ્ય સરકારે 16 IASની બદલીના આદેશ કરાયા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગાંધીનગર મુકાયા છે.

The post રાજ્ય સરકારે કર્યા 16 IASની બદલીના આદેશ  appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30906/feed 0