સ્થાનિક સમાચાર Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/localnews Wed, 01 Oct 2025 17:27:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png સ્થાનિક સમાચાર Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/localnews 32 32 આરબીઆઈ દ્વારા રેપો રેટ ૫.૫% પર યથાવત્…!! https://karnavati24news.com/news/122294 https://karnavati24news.com/news/122294#respond Wed, 01 Oct 2025 17:27:58 +0000 https://karnavati24news.com/?p=122294 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) મોનિટરી પોલિસીની તાજેતરની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ૫.૫% પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે તહેવારોની સિઝન હોવા છતાં ઈએમઆઈમાં કોઈ રાહત મળવાની નથી. અગાઉ બજારમાં એવી અપેક્ષા હતી કે ફેસ્ટિવલ સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે....

The post આરબીઆઈ દ્વારા રેપો રેટ ૫.૫% પર યથાવત્…!! appeared first on Karnavati 24 News.

]]>

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) મોનિટરી પોલિસીની તાજેતરની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ૫.૫% પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે તહેવારોની સિઝન હોવા છતાં ઈએમઆઈમાં કોઈ રાહત મળવાની નથી. અગાઉ બજારમાં એવી અપેક્ષા હતી કે ફેસ્ટિવલ સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.

જોકે, આરબીઆઈએ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યો આ નિર્ણય પર સહમત રહ્યા હતા. રેપો રેટ સાથે જ એસડીએફ રેટ ૫.૨૫% અને એમએસએફ રેટ ૫.૭૫% પર યથાવત્ રાખવામાં આવ્યા છે. આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્ર માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને ૬.૮% કરી દીધું છે.

The post આરબીઆઈ દ્વારા રેપો રેટ ૫.૫% પર યથાવત્…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/122294/feed 0
ADBનો અંદાજ: ભારતીય અર્થતંત્ર ૬.૫% દરે વધશે, US ટેરિફથી દબાણ…!! https://karnavati24news.com/news/122214 https://karnavati24news.com/news/122214#respond Wed, 01 Oct 2025 16:26:57 +0000 https://karnavati24news.com/?p=122214 પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮% વૃદ્ધિ નોંધાયા છતાં, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫%ના દરે વધવાની શક્યતા છે. અગાઉ ૭% વૃદ્ધિનો અંદાજ હતો, પરંતુ યુએસ દ્વારા ભારતીય નિકાસ પર લાગુ કરાયેલા ૫૦% ટેરિફને કારણે આ અનુમાન ઘટાડવામાં આવ્યું છે. ADBએ જણાવ્યું કે...

The post ADBનો અંદાજ: ભારતીય અર્થતંત્ર ૬.૫% દરે વધશે, US ટેરિફથી દબાણ…!! appeared first on Karnavati 24 News.

]]>

પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮% વૃદ્ધિ નોંધાયા છતાં, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫%ના દરે વધવાની શક્યતા છે. અગાઉ ૭% વૃદ્ધિનો અંદાજ હતો, પરંતુ યુએસ દ્વારા ભારતીય નિકાસ પર લાગુ કરાયેલા ૫૦% ટેરિફને કારણે આ અનુમાન ઘટાડવામાં આવ્યું છે. ADBએ જણાવ્યું કે નિકાસમાં આવનારો ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ બંને વર્ષોમાં GDP વૃદ્ધિને અસર કરશે.

ખાસ કરીને ચોખ્ખી નિકાસ અપેક્ષા કરતા ઓછી રહેશે. તે ઉપરાંત, તાજેતરમાં જ જાહેર કરાયેલા જીએસટી કાપને કારણે કર આવક ઘટશે અને ખર્ચનું સ્તર જળવાયું રહેતા રાજકોષીય ખાધ બજેટમાં દર્શાવાયેલા ૪.૪% કરતાં વધારે રહેવાની સંભાવના છે. જોકે, આ ખાધ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં નોંધાયેલા ૪.૭% કરતાં ઓછી રહેશે. ચાલુ ખાતાની ખાધ પણ થોડી વધતી જોવા મળશે – નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૦.૬%થી વધીને આ વર્ષે ૦.૯% અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ સુધી ૧.૧% સુધી પહોંચવાની શક્યતા છે.

The post ADBનો અંદાજ: ભારતીય અર્થતંત્ર ૬.૫% દરે વધશે, US ટેરિફથી દબાણ…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/122214/feed 0
મૂડી’ઝે ભારતનું ‘Baa3’ રેટિંગ જાળવ્યું, સ્થિર આઉટલૂક યથાવત્…!! https://karnavati24news.com/news/122124 https://karnavati24news.com/news/122124#respond Wed, 01 Oct 2025 15:25:38 +0000 https://karnavati24news.com/?p=122124 મૂડી’ઝ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સ્થાનિક અને વિદેશી કરન્સી ઈશ્યૂઅર રેટિંગ ‘Baa3’ પર યથાવત્ રાખ્યું છે. સાથે જ “સ્થિર” આઉટલૂક પણ જાળવી રાખવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્રનું કદ મોટું છે, વૃદ્ધિ મજબૂત છે અને ફોરેક્સ રિઝર્વની સ્થિતિ સારી છે. મૂડી’ઝે વધુમાં કહ્યું કે ભારતનું ક્રેડિટ પ્રોફાઈલ મજબૂત...

The post મૂડી’ઝે ભારતનું ‘Baa3’ રેટિંગ જાળવ્યું, સ્થિર આઉટલૂક યથાવત્…!! appeared first on Karnavati 24 News.

]]>

મૂડી’ઝ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સ્થાનિક અને વિદેશી કરન્સી ઈશ્યૂઅર રેટિંગ ‘Baa3’ પર યથાવત્ રાખ્યું છે. સાથે જ “સ્થિર” આઉટલૂક પણ જાળવી રાખવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્રનું કદ મોટું છે, વૃદ્ધિ મજબૂત છે અને ફોરેક્સ રિઝર્વની સ્થિતિ સારી છે. મૂડી’ઝે વધુમાં કહ્યું કે ભારતનું ક્રેડિટ પ્રોફાઈલ મજબૂત છે, કેમ કે તેનો સ્થાનિક બજાર વિશાળ છે અને અનુકૂળ ડેમોગ્રાફિક્સને કારણે ગ્રોથની સંભાવનાઓ વધારે છે.

ફિસ્કલ ડેફિસિટ નિયંત્રણમાં રાખવા માટે સ્થાનિક ફાઈનાન્સિંગ બેઝ સ્થિર છે. જોકે જીએસટીમાં ઘટાડાને કારણે આવક ઘટશે અને અમેરિકન ટેરિફ તથા વૈશ્વિક નીતિગત પગલાં મધ્યમથી લાંબા ગાળાની વૃદ્ધિ પર દબાણ કરી શકે છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું કે તાજેતરના જીએસટી કાપને કારણે આવક ઓછી થશે, જેના કારણે ડેટ એફોર્ડેબિલિટીમાં પૂરતો સુધારો નહીં થાય. તેમ છતાં મજબૂત જીડીપી ગ્રોથ અને તબક્કાવાર ફિસ્કલ કોન્સોલિડેશનને કારણે સરકાર પરનો ઋણનો બોજ ધીમે ધીમે ઘટશે.

અન્ય રેટિંગ્સમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી – ભારતનું શોર્ટ-ટર્મ લોકલ કરન્સી રેટિંગ ‘P-3’, લોંગ-ટર્મ લોકલ કરન્સી બોન્ડ સીલિંગ ‘A2’ અને લોંગ-ટર્મ ફોરેન કરન્સી બોન્ડ સીલિંગ ‘A3’ યથાવત્ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં S&P ગ્લોબલે પણ ભારતનું સોવરેન રેટિંગ ૧૮ વર્ષ પછી અપગ્રેડ કરી ‘BBB’ કર્યું હતું. આમ છતાં અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં વૈશ્વિક એજન્સીઓ ભારતના આર્થિક ભવિષ્ય પ્રત્યે આશાવાદી છે.

The post મૂડી’ઝે ભારતનું ‘Baa3’ રેટિંગ જાળવ્યું, સ્થિર આઉટલૂક યથાવત્…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/122124/feed 0
ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪% વધ્યું, માઈનિંગમાં ૬%નો ઉછાળો…!! https://karnavati24news.com/news/122018 https://karnavati24news.com/news/122018#respond Wed, 01 Oct 2025 14:25:00 +0000 https://karnavati24news.com/?p=122018 દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં ઓગસ્ટ મહિનામાં ૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. માઈનિંગ સેક્ટરે સારો પ્રદર્શન કરવાથી કુલ વૃદ્ધિને ટેકો મળ્યો છે. જુલાઈ માટેનો આંકડો સુધારીને ૪.૩ ટકા જાહેર કર્યો છે, જે પહેલા ૩.૫ ટકા હતો. માઈનિંગ સેક્ટરમાં ૬% ઉત્પાદન વૃદ્ધિ નોંધાઈ, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં ૪.૩% ઘટાડો થયો...

The post ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪% વધ્યું, માઈનિંગમાં ૬%નો ઉછાળો…!! appeared first on Karnavati 24 News.

]]>

દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં ઓગસ્ટ મહિનામાં ૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. માઈનિંગ સેક્ટરે સારો પ્રદર્શન કરવાથી કુલ વૃદ્ધિને ટેકો મળ્યો છે. જુલાઈ માટેનો આંકડો સુધારીને ૪.૩ ટકા જાહેર કર્યો છે, જે પહેલા ૩.૫ ટકા હતો. માઈનિંગ સેક્ટરમાં ૬% ઉત્પાદન વૃદ્ધિ નોંધાઈ, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં ૪.૩% ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૩.૮%નો ગ્રોથ રહ્યો, જે ગત વર્ષે ૧.૨% હતો. વીજ ઉત્પાદન ૪.૧% વધ્યું, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં ૩.૭% ઘટ્યું હતું.

પ્રોડક્ટ લેવલે કોલસાનું ઉત્પાદન ૧૧.૪%, સ્ટીલ ૧૪.૨%, સિમેન્ટ ૬.૧% અને ફર્ટિલાઈઝર ૪.૬% વધ્યા હતા. જોકે ક્રૂડ ઓઈલમાં ૧.૨% અને નેચરલ ગેસમાં ૨.૨% ઘટાડો જોવા મળ્યો હતો. મેન્યુફેક્ચરિંગમાં ૨૩માંથી ૧૦ ઈન્ડસ્ટ્રી ગ્રુપે પોઝિટિવ ગ્રોથ દર્શાવ્યો. તેમાં બેઝિક મેટલ્સ (૧૨.૨%), કોક એન્ડ રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (૫.૪%) અને મોટર વ્હીકલ્સ (૯.૮%) ટોચ પર રહ્યા.

ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યું કે મેન્યુફેક્ચરિંગમાં ગ્રોથ થોડો ધીમો પડ્યો હોવા છતાં માઈનિંગ અને વીજ ક્ષેત્રમાં સુધારો થયો છે. યુઝ-બેઝ્ડ ક્લાસિફિકેશન મુજબ પ્રાઈમરી ગુડ્ઝમાં ૫.૨%, ઈન્ફ્રાસ્ટ્રક્ચર/કન્સ્ટ્રક્શન ગુડ્ઝમાં ૬.૩%, ઈન્ટરમીડિયેટ ગુડ્ઝમાં ૫% અને કન્સ્ટ્રક્શન ગુડ્ઝમાં ૧૦.૬% ગ્રોથ નોંધાયો. કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ ૩.૫% અને નોન-ડ્યૂરેબલ્સ ૬.૩% વધ્યા હતા. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ આઈઆઈપી વૃદ્ધિ ૨.૮% રહી છે, જે ગત વર્ષે આ જ ગાળામાં ૪.૩% હતી.

The post ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪% વધ્યું, માઈનિંગમાં ૬%નો ઉછાળો…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/122018/feed 0
નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!! https://karnavati24news.com/news/121852 https://karnavati24news.com/news/121852#respond Wed, 01 Oct 2025 13:23:59 +0000 https://karnavati24news.com/?p=121852 રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૬૭ સામે ૮૦૧૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૧૫ પોઈન્ટના ઉછાળા...

The post નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!! appeared first on Karnavati 24 News.

]]>

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૬૭ સામે ૮૦૧૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૮૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૭૮ સામે ૨૪૭૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૮૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદી બંધ કરવા માટે દબાણ કરી રહ્યા અને ટેરિફ મામલે ભીંસ વધારશે એવી અટકળો વચ્ચે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં સકરાત્મક માહોલ જોવા મળ્યો હતો. ફુગાવામાં ઘટાડો અને જીએસટીમાં સુધારાથી માંગ પર સકારાત્મક અસરે આરબીઆઈ દ્વારા રેપો રેટ યથાવત્ રખાતા તેમજ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં અપેક્ષા કરતાં વધુ જીડીપી ગ્રોથ નોંધાયો હોવાના અહેવાલે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ઓપેક સંગઠન અને અન્ય દેશો નવેમ્બરમાં ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરે એવી શકયતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવો ઘટતાં બજારમાં મજબૂતી જોવા મળી હતી. અલબત ચાઈના પણ તાઈવાન મામલે અમેરિકા પર સ્વતંત્ર રાષ્ટ્રનું વલણ છોડવા દબાણ કરી રહ્યાના અને યુક્રેન મામલે હજુ યુદ્ધ વકરવાના અને ગાઝા મામલે ઈઝરાયેલના આક્રમક વલણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેવા છતાં ભારતીય શેરબજારમાં રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાએ ફાર્મા પછી હવે મુવીઝ તથા ફર્નીચર પણ ટેરીફ લાદયાના સમાચાર બાદ અમેરિકામાં સરકારી ખર્ચાઓ માટે ભંડોળ મંજૂર કરવાની ડેડલાઈન આવી જતાં અમેરિકન સરકાર સંભવિત શટડાઉન તરફ વધી રહી હોવાથી ડોલરમાં ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાતા બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત થયો હતો, જયારે ઈઝરાયલ તથા ગાઝા વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં તથા ઓપેક દ્વારા ઉત્પાદન વૃદ્ધીની શક્યતા ઉપરાંત રશિયાના ક્રૂડતેલની સપ્લાય વૈશ્વિક સ્તરે જળવાઈ રહેતાં ક્રૂડઓઈલના ભાવમાં ઝડપી પીછેહટ જોવાઈ હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્સિયલ સર્વિસીસ, હેલ્થકેર, રિયલ્ટી, યુટિલિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને આઈટી સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૦ અને વધનારની સંખ્યા ૨૭૯૭ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૫.૫૪%, કોટક બેન્ક ૩.૪૫%, ટ્રેન્ટ લિ. ૩.૩૧%, સન ફાર્મા ૨.૫૮%, એક્સિસ બેન્ક ૨.૪૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૭૭%, એચડીએફસી બેન્ક ૧.૪૮%, અદાણી પોર્ટ્સ ૧.૩૩%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૬%, ટેક મહિન્દ્ર ૧.૨૦%, ઈટર્નલ લિ. ૧.૦૬% અને ટાઈટન કંપની લિ. ૧.૦૪% હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૧૦%, સ્ટેટ બેન્ક ૦.૯૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૬%, ટાટા સ્ટીલ ૦.૭૧%, એશિયન પેઈન્ટ ૦.૬૨%, ભારતી એરટેલ ૦.૪૭%, મારુતિ સુઝુકી ૦.૨૬% અને એનટીપીસી ૦.૦૯% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૯૯ લાખ કરોડ વધીને ૪૫૫.૪૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મોનિટરી પોલિસીની તાજેતરની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ૫.૫% પર જાળવી રાખ્યો છે. અગાઉ બજારમાં એવી અપેક્ષા હતી કે ફેસ્ટિવલ સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. જોકે, આરબીઆઈએ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરો યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્ર માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને ૬.૮% કર્યું હતું. જો કે પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮% વૃદ્ધિ નોંધાયા બાદ અગાઉ ૭% વૃદ્ધિના અંદાજ સામે એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫%ના દરે વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

યુએસ દ્વારા ભારતીય નિકાસ પર લાગુ કરાયેલા ૫૦% ટેરિફને કારણે આ અનુમાન ઘટાડવામાં આવ્યું છે. નિકાસમાં આવનારો ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ બંને વર્ષોમાં જીડીપી વૃદ્ધિને અસર કરશે તેવું અનુમાન છે. ખાસ કરીને ચોખ્ખી નિકાસ અપેક્ષા કરતા ઓછી રહેશે. તે ઉપરાંત, તાજેતરમાં જ જાહેર કરાયેલા જીએસટી કાપને કારણે કર આવક ઘટશે અને ખર્ચનું સ્તર જળવાયું રહેતા રાજકોષીય ખાધ બજેટમાં દર્શાવાયેલા ૪.૪% કરતાં વધારે રહેવાની સંભાવના છે. તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૦૩.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૦૧.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૯૫ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૦૮ થી રૂ.૧૧૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૪૩૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૧૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ટેક મહિન્દ્રા ( ૧૪૧૪ ) :- રૂ.૧૩૯૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ડૉ. રેડ્ડી`ઝ લેબોરેટરીઝ ( ૧૨૫૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૭૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૪૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • અદાણી ગ્રીન ( ૧૦૭૪ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૪૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • એસબીઆઈ કાર્ડ્સ ( ૮૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૭૮ આસપાસ સપોર્ટથી રૂ.૮૫૭ થી રૂ.૮૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૫ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • સ્ટેટ બેન્ક ( ૮૭૦ ) :- રૂ.૮૮૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૮૯૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૮૫૮ થી રૂ.૮૪૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૩૮૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૧૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • એક્સીસ બેન્ક ( ૧૧૬૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૫૪ થી રૂ.૧૧૪૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૯૬૯ ) :- રૂ.૯૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૫ થી રૂ.૯૪૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

The post નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/121852/feed 0
MPC બેઠક : રેપો રેટમાં રાહતની સંભાવના…!! https://karnavati24news.com/news/116657 https://karnavati24news.com/news/116657#respond Tue, 30 Sep 2025 08:55:58 +0000 https://karnavati24news.com/?p=116657 રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં રેપો રેટ સહિતના મહત્વપૂર્ણ નાણાકીય મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે, જેની જાહેરાત ૧ ઑક્ટોબરે થશે. હાલ રેપો રેટ ૫.૫૦% છે, જેને આરબીઆઇએ છેલ્લા કેટલાક મહિનાથી યથાવત્ રાખ્યો છે. આ વખતે નિષ્ણાતોમાં...

The post MPC બેઠક : રેપો રેટમાં રાહતની સંભાવના…!! appeared first on Karnavati 24 News.

]]>

રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં રેપો રેટ સહિતના મહત્વપૂર્ણ નાણાકીય મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે, જેની જાહેરાત ૧ ઑક્ટોબરે થશે. હાલ રેપો રેટ ૫.૫૦% છે, જેને આરબીઆઇએ છેલ્લા કેટલાક મહિનાથી યથાવત્ રાખ્યો છે. આ વખતે નિષ્ણાતોમાં મતભેદ છે. કેટલાક માને છે કે અમેરિકા ટેરિફ અને મોંઘવારીના નીચા દરને ધ્યાનમાં રાખતાં આરબીઆઇ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. જ્યારે બીજાઓનું માનવું છે કે વ્યાજદરમાં ઘટાડો કરીને માગ અને વપરાશને વધુ પ્રોત્સાહન આપી શકાય છે.

આ વર્ષે આરબીઆઇ અત્યારસુધી કુલ ૧%નો ઘટાડો કરી ચૂક્યું છે. ફુગાવામાં ઘટાડો અને જીએસટી સુધારા માગમાં વૃદ્ધિ લાવી રહ્યા છે, એટલે રેપો રેટ યથાવત રહેવાની શક્યતા છે. બીજી તરફ, CPI ફુગાવો હજી તળિયે પહોંચ્યો નથી, પરંતુ GST સુધારાથી વધુ ઘટાડાની સંભાવના છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ સુધી ફુગાવો ૪% અથવા તેનાથી નીચે જળવાશે. વિશેષજ્ઞોના મત અનુસાર, જો ઑક્ટોબરમાં ફુગાવો ૧.૧%ની આસપાસ રહેતો હોય, તો તે ૨૦૦૪ પછીનો સૌથી નીચો સ્તર ગણાશે. આ પરિસ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય મધ્યમ વર્ગ માટે ખરેખર રાહતરૂપ સાબિત થઈ શકે છે.

The post MPC બેઠક : રેપો રેટમાં રાહતની સંભાવના…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/116657/feed 0
ભારતનો પ્રથમ યુરોપિયન વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં…!! https://karnavati24news.com/news/116533 https://karnavati24news.com/news/116533#respond Tue, 30 Sep 2025 07:55:02 +0000 https://karnavati24news.com/?p=116533 ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર આખરે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયાગત વિલંબ બાદ આ કરાર અમલમાં આવી રહ્યો છે. ભારત અને EFTA દેશો વચ્ચે ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. EFTA બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને...

The post ભારતનો પ્રથમ યુરોપિયન વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં…!! appeared first on Karnavati 24 News.

]]>

ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર આખરે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયાગત વિલંબ બાદ આ કરાર અમલમાં આવી રહ્યો છે. ભારત અને EFTA દેશો વચ્ચે ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. EFTA બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરારને “વેપાર અને આર્થિક ભાગીદારી કરાર” નામ આપવામાં આવ્યું છે, જે ભારતના કોઈપણ યુરોપિયન દેશ અથવા બ્લોક સાથેનો પ્રથમ અમલમાં મુકાયેલો વેપાર કરાર છે.

આ કરાર હેઠળ ભારતે EFTA દેશોના લગભગ ૮૦થી ૮૫% માલ પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. બદલામાં, ભારતને આ દેશોમાંથી ૯૯% માલ પર ડયુટી-મુક્ત બજાર પ્રવેશ મળશે. જોકે, ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા માટે કૃષિ અને ડેરી ઉત્પાદનોને ટેરિફ રાહતોમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ભારત માટે આ કરારનો સૌથી મોટો લાભ રોકાણના રૂપમાં મળશે. કરાર અમલમાં આવ્યાના ૧૦ વર્ષમાં EFTA દેશો ભારતમાં આશરે ૫૦ અબજ ડોલરનું રોકાણ કરશે એવી અપેક્ષા છે.

આ રોકાણથી આવતા ૧૫ વર્ષમાં ભારતમાં આશરે ૧૦ લાખ સીધી નોકરીઓ સર્જાશે. વિશેષજ્ઞોના મતે, આ કરાર ભારતના નિકાસ, રોકાણ અને રોજગાર ક્ષેત્ર માટે નવી તકો ખોલશે અને યુરોપિયન બજારો સાથે ભારતના આર્થિક એકીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

The post ભારતનો પ્રથમ યુરોપિયન વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/116533/feed 0
ટૂંકા ગાળાના રોકાણકારોને રાહત : મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ ફી ઘટી…!! https://karnavati24news.com/news/116381 https://karnavati24news.com/news/116381#respond Tue, 30 Sep 2025 06:54:04 +0000 https://karnavati24news.com/?p=116381 મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વધતી સ્પર્ધાને કારણે હવે સ્કીમમાંથી બહાર નીકળવા માટે લેવામાં આવતી એક્ઝિટ લોડમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ લોડ એટલે ચોક્કસ સમય પહેલાં રોકાણ ઉપાડવા કે આંશિક ઉપાડ કરવા બદલ લેવામાં આવતી ફી, જે ઉપાડની કુલ રકમ પર લાગુ...

The post ટૂંકા ગાળાના રોકાણકારોને રાહત : મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ ફી ઘટી…!! appeared first on Karnavati 24 News.

]]>

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વધતી સ્પર્ધાને કારણે હવે સ્કીમમાંથી બહાર નીકળવા માટે લેવામાં આવતી એક્ઝિટ લોડમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ લોડ એટલે ચોક્કસ સમય પહેલાં રોકાણ ઉપાડવા કે આંશિક ઉપાડ કરવા બદલ લેવામાં આવતી ફી, જે ઉપાડની કુલ રકમ પર લાગુ પડે છે.

તાજેતરમાં ટાટા મ્યુચ્યુઅલ ફંડે તેની ઇક્વિટી અને હાઇબ્રિડ સ્કીમ્સ માટે ૦.૫ ટકા એકસરખો એક્ઝિટ લોડ નક્કી કર્યો છે, જે ૩૦ દિવસની અંદર ઉપાડ કરવા પર પણ લાગુ પડે છે. ત્યારબાદ SBI મ્યુચ્યુઅલ ફંડે પણ સપ્ટેમ્બર મહિનામાં સમાન ઘટાડો કર્યો છે. અગાઉ મોટાભાગની ઇક્વિટી સ્કીમ્સમાં એક વર્ષની અંદર ઉપાડ પર ૧ ટકા એક્ઝિટ લોડ વસુલવામાં આવતો હતો.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો કોઈ ફંડ હાઉસનું એક્ઝિટ લોડ સ્પર્ધકો કરતાં વધારે રહેશે તો રોકાણકારો અન્ય સ્કીમ્સ તરફ વળી જશે. ઓછો એક્ઝિટ લોડ ફંડ મેનેજરોને પણ ફાળવણીને વધુ અસરકારક રીતે ગોઠવવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને ટૂંકા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો મહત્વપૂર્ણ છે, કારણ કે આ ફી તેમના વળતર પર સીધી અસર કરતી હોય છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે આ બદલાવ ફક્ત સ્પર્ધાત્મક વ્યૂહરચના નથી, પરંતુ રોકાણને વધુ લવચીક અને સરળ બનાવી નાણાકીય સમાવેશ વધારવાનો પ્રયાસ પણ છે. લાંબા ગાળાના રોકાણકારો માટે એક્ઝિટ લોડનો પ્રભાવ ઓછો હોય છે, પરંતુ ટૂંકા ગાળાના રોકાણકારોને આ પગલાંથી સીધો લાભ મળશે.

The post ટૂંકા ગાળાના રોકાણકારોને રાહત : મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ ફી ઘટી…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/116381/feed 0
શિખર સંમેલનની સુરક્ષા માટે સ્વીડન ડેનમાર્કને એન્ટી-ડ્રોન સિસ્ટમ અને રડાર મોકલી https://karnavati24news.com/news/115496 https://karnavati24news.com/news/115496#respond Tue, 30 Sep 2025 00:48:01 +0000 https://karnavati24news.com/?p=115496 (જી.એન.એસ) તા. 29 કોપેનહેગન, સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ સોમવારે જણાવ્યું હતું કે, ડ્રોન ઘુસણખોરીના કારણે ડેનમાર્કને અનેક એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે આ અઠવાડિયે કોપેનહેગનમાં યુરોપિયન સમિટ પહેલા સ્વીડન ડેનમાર્કને રડાર અને લશ્કરી ડ્રોન વિરોધી સિસ્ટમ મોકલી રહ્યું છે. ડેનમાર્ક બુધવારે EU નેતાઓનું આયોજન કરશે, ત્યારબાદ...

The post શિખર સંમેલનની સુરક્ષા માટે સ્વીડન ડેનમાર્કને એન્ટી-ડ્રોન સિસ્ટમ અને રડાર મોકલી appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 29

કોપેનહેગન,

સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ સોમવારે જણાવ્યું હતું કે, ડ્રોન ઘુસણખોરીના કારણે ડેનમાર્કને અનેક એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે આ અઠવાડિયે કોપેનહેગનમાં યુરોપિયન સમિટ પહેલા સ્વીડન ડેનમાર્કને રડાર અને લશ્કરી ડ્રોન વિરોધી સિસ્ટમ મોકલી રહ્યું છે.

ડેનમાર્ક બુધવારે EU નેતાઓનું આયોજન કરશે, ત્યારબાદ ગુરુવારે 47 સભ્યોના વિશાળ યુરોપિયન રાજકીય સમુદાયનું સમિટ યોજાશે, અને ડ્રોન જોવા મળ્યા બાદ તેણે પહેલાથી જ કહ્યું છે કે તેણે ઘટનાઓની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.

ગયા અઠવાડિયે ડ્રોનથી છ ડેનિશ એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, જેમાં નોર્ડિક પ્રદેશના સૌથી વ્યસ્ત કોપેનહેગનનો પણ સમાવેશ થાય છે, જેને વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને તેમના રાષ્ટ્ર પર હાઇબ્રિડ હુમલો ગણાવ્યો હતો.

ક્રિસ્ટરસનએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્વીડન “કાઉન્ટર-UAS” – માનવરહિત વિમાન સિસ્ટમ્સ – મોકલશે અને રવિવારે તેમના દેશે અલગથી “મુઠ્ઠીભર” રડાર સિસ્ટમ્સ પણ ડેનમાર્કને મોકલી હતી.

રવિવારે, ડેનમાર્કે નાગરિક ડ્રોન ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો, કારણ કે રાતોરાત અનેક લશ્કરી સુવિધાઓ પર ડ્રોન જોવા મળ્યા હતા.

નાટો લશ્કરી જોડાણે શનિવારે જણાવ્યું હતું કે તે ડેનમાર્કની પરિસ્થિતિના પ્રતિભાવમાં બાલ્ટિક સમુદ્રમાં તેના મિશનને અપગ્રેડ કરી રહ્યું છે, અને રવિવારે એક જર્મન હવાઈ સંરક્ષણ ફ્રિગેટ હવાઈ મથકની દેખરેખમાં મદદ કરવા માટે કોપનહેગન પહોંચ્યું.

ડેનમાર્કે ચોક્કસપણે કહ્યું નથી કે તે કોણ જવાબદાર માને છે, પરંતુ ફ્રેડરિકસેને સૂચવ્યું છે કે તે મોસ્કો હોઈ શકે છે, રશિયાને “યુરોપિયન સુરક્ષા માટે ખતરો ઉભો કરનારો દેશ” ગણાવ્યો છે.

ક્રેમલિન ડ્રોન ઉડાનોમાં સંડોવણીનો ઇનકાર કરે છે.

The post શિખર સંમેલનની સુરક્ષા માટે સ્વીડન ડેનમાર્કને એન્ટી-ડ્રોન સિસ્ટમ અને રડાર મોકલી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/115496/feed 0
નવરાત્રીના આઠમના દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે https://karnavati24news.com/news/115290 https://karnavati24news.com/news/115290#respond Mon, 29 Sep 2025 23:47:00 +0000 https://karnavati24news.com/?p=115290  નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. નવરાત્રિની આ અષ્ટમી તારીખને મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા મહાગૌરીએ ભગવાન શિવને તેમના પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને એક વખત ભગવાન ભોલેનાથે પાર્વતીજીને જોઈને કંઈક કહ્યું, જેના કારણે દેવીનું...

The post નવરાત્રીના આઠમના દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે appeared first on Karnavati 24 News.

]]>

 નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. નવરાત્રિની આ અષ્ટમી તારીખને મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

માતા મહાગૌરીએ ભગવાન શિવને તેમના પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને એક વખત ભગવાન ભોલેનાથે પાર્વતીજીને જોઈને કંઈક કહ્યું, જેના કારણે દેવીનું મન દુઃખી થઈ ગયું અને પાર્વતીજી તપસ્યામાં મગ્ન થઈ ગયા. આ રીતે વર્ષો સુધી કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે માતા પાર્વતી આવતી નથી ત્યારે ભગવાન શિવ પાર્વતીની શોધમાં તેમની પાસે પહોંચે છે. જ્યારે તેઓ ત્યાં પહોંચે છે, ત્યારે તેઓ ત્યાં માતા પાર્વતીનું સ્વરૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પાર્વતીજીનો રંગ ખૂબ જ ઉત્સાહી છે, તેમનો રંગ ચંદ્રની જેમ સફેદ અને ફૂલ જેવો નિસ્તેજ દેખાય છે, તેમના વસ્ત્રો અને આભૂષણોથી પ્રસન્ન થઈને તેઓ દેવી ઉમાને ગોરા રંગનું વરદાન આપે છે.

 શિવપુરાણ મુજબ, મહાગૌરીને 8 વર્ષની ઉંમરમાં જ પોતાના પૂર્વ જન્મની ઘટનાઓનો આભાસ થઈ ગયો હતો. માટે તેમને 8 વર્ષની ઉંમરથી જ ભગવાન શિવને પતિ રુપમાં મેળવવા માટે તપસ્યા શરુ કરી દીધી હતી, માટે અષ્ટમીના દિવસે મહાગૌરીનું પૂજન કરવાનું વિધાન છે. આ દિવસે માની પૂજામાં દુર્ગાસપ્તશતીના મધ્ય ચરિત્રનો પાઠ કરવાથી વિશેષ ફળદાયી હોય છે. તેમના એક હાથમાં દુર્ગા શક્તિનું પ્રતિક ત્રિશૂળ હોય છે તો બીજા હાથમાં શિવનું પ્રતિક ડમરુ હોય છે. પોતાના સંસારિક રુપમાં મહાગૌરી ઉજ્જ્વલ, શ્વેત વર્ણી તથા શ્વેત વસ્ત્રધારી અને ચતુર્ભુજા છે. મહાગૌરીને ગાયન અને સંગીત ઘણાં પસંદ છે. તેઓ સફેદ વૃષભ એટલે કે બળદ પર સવાર રહે છે. તેમના તમામ આભૂષણો વગેરે પણ શ્વેત છે. મહામારીની ઉપાસનાથી પૂર્વસંચિત પાપ નષ્ટ થઈ જાય છે.

The post નવરાત્રીના આઠમના દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/115290/feed 0