Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

ગીર ગઢડા તાલુકાના સીમાસીમાં મારામારીનો બનાવ બન્યો હતો. અને મામલો પોલીસ મથકે પહોંચતા તપાસ હાથ ધરાઈ હતી. ઊના પંથકના સીમાસી ગામે રહેતા સુલ્તાન યુસુફ સમા, ઇરફાન ઉર્ફે ચાકુ ઇસુબ સમા, અકરમ અલી દલ, હિરોજ જીણા દલ, સદામ હુશેન દલ, સલીમ જુસબ જુણેજા, સલીમ મુરાદ દલ, અનીશ રહીમ જુણેજા, આરીફ રહીમ જુણેજા, રૂસ્તમ રહીમ જુણેજા, સુલ્તાન આમન દલ સહીતના તમામ શખ્સોએ એકમંડળ રચી રહીમભાઇ ઉર્ફે બીડી વલીભાઇ વાકોટ અગાઉ ત્રણ વર્ષ પહેલા કુંટુબી સામે ફરીયાદ થયેલ હોય તેનું મનદુઃખ રાખી સુલ્તાનએ તુ મારા સામુ ડોળા શું કામ કાઢે છે તેમ કહી રહીમભાઇનો કાઠલો પકડી લીધેલ ત્યારે આ શખ્સો આવી લાકડી વડે શરીરે આડેધર ઢોરમાર મારતા તેમના ભાઇ અબાસભાઇ તેમજ સબીરભાઇ વચ્ચે પડી છોડાવવા જતાં તેમને પણ લાકડાના ધોકા વડે મારમારી ત્રણેય યુવાનો ઇજા થતાં લોહીલોહાણ હાલતમાં ઇમજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર કર્યા બાદ જુનાગઢ ખાતે રીફર કરવામાં આવેલ છે. આ બાબતે રહીમભાઇ ઉર્ફે બીડી વલી વાકોટે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે. જ્યારે સામે પક્ષે સીમાસી ગામે રહેતા રહીમ ઉર્ફે બીડી વલી વાકોટ, અબ્બાસ વલી વાકોટ, નજીર આદમ વાકોટ તેમજ હુશેન દાઉદ વાકોટના સગાઓએ અકરમ અલી દલ સામે અગાઉ ફરીયાદ કરેલ હોય તેનુ મનદુઃખ ચાલતુ હોય જેના કારણે આ શખ્સોએ સુહાનાબેનને ગાળો આપી ઝાપટ મારી દીધેલ અને લોખંડના પાઇપ વડે પગ, હાથમાં થા મારેલ અને સોડા બાટલીના છુટા ઘા કરતા સાહેદ રોશનબેન તેમજ ઇરફાનભાઇને ગંભીર ઇજા પહોંચતા ઇમરજન્સી ૧૦૮માં તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરેલ છે.

संबंधित पोस्ट

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ

Karnavati 24 News

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

Karnavati 24 News

 ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે

Karnavati 24 News

ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરતું સ્થળ : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’

Karnavati 24 News

યુથ ઓફ યુનિવર્સ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ફ્રી મેડીકલ ચેકઅપ , રક્તદાન અને વૃક્ષારોપણ કેમ્પ નું આયોજન

Karnavati 24 News