ભારતીય જનતા પાટીઁ ના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ…
એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા…
બાઇક રેલી નુ ઠેર ઠેર ફુલોથી સ્વાગત…
ફતેપુરા થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી સંપૂણઁ દાહોદ જીલ્લા મા ફરશે, બાઇક રેલી મા દરેક તાલુકા દીઠ કાયઁકરતાઓ મોટર સાયકલ લઇ ને જાડાયા..
ભારતીય જનતા પાટીઁ ના 42 મા સ્થાપના દિન નિમિતે આજરોજ ફતેપુરા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે થી દાહોદ જીલ્લા ભાજપ ના પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ આ પ્રંસગે ફતેપુરાના ધારાસભ્ય વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,એસ ટી મોરચાના ઉપ પ્રમુખ ડૉ અશ્ર્વિનભાઇ પારગી,યુવા મોરચાના મોહિતભાઇ ડામોર,યુવા મોરચાના અલયભાઇ દરજી,ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામા યુવા મોરચાના કાયઁકરતાઓ સરપંચો જોડાયા હતા ફતેપુરા થી શરુઆત કરાયેલ બાઇક રેલી સંપૂણઁ જીલ્લામા ફરશે
ફતેપુરા થી બાઇક રેલી ને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવતા દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર,વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,ડૉ અશ્ર્વિનભાઇ પારગી સહિત અન્ય મહાનુભાવો જોઇ શકાય છે