દેશમાં કોરોનાની સ્થિતિ બિલકુલ કાબુમાં આવી ગઈ છે. દેશ જૂજ કેસો નોધાઇ રહ્યા છે. સાજા થવાનો દર 98.76 ટકા થઈ ગયો છે.દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે
કોરોના ની સ્થિતિ સતત કાબૂમાં આવી રહી છે. ત્રીજી લહેર માં એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ત્રીજી લહેર ઘણી ઘાતક સાબિત થશે. જે માટે બીજી લહેર માં જે ભયાનક સ્વરૂપ ભારત દેશની અંદર જોવા મળ્યું હતું. આ જોઈને વિશ્વ પણ ચિંતામાં આવી ચૂક્યું હતું. લોકોને એક સમયે હોસ્પિટલમાં એડમિટ થવા માટે બેડ પણ નહોતા મળતા આ પ્રકારની સ્થિતિ બીજી લહેર માં જોવા મળતા બીજી લહેર શાંત થયા બાદ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર દ્વારા તેમજ જગ્યા જગ્યા ઉપર હોસ્પિટલ કોરોના ની ઉભી કરવામાં આવી હતી.
1,086 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,30,925 થઈ ગઈ છે. જ્યારે અત્યારે અેક્ટિવ કેસની વાત કરીએ તો 11,871 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર દેશમાં ચેપને કારણે મૃત્યુના વધુ 71 કેસ નોંધાયા છે, જેના કારણે મૃત્યુઆંક વધીને 5,21,487 થઈ ગયો છે. દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 11,871 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03 ટકા છે.
ભારત દેશમાં 24 કલાકમાં 1,086 કોરોના કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા આજે 180 જેટલા કેસો ઘટ્યા હતા. રોજ કેસો ઘટે છે.
અગાઉથી જ વ્યવસ્થા ત્રીજી લહેરાવે પહેલા કરી દેવામાં આવી હતી પરંતુ બીજી લહેર કોરોના કેસો જરૂરથી મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા પરંતુ બીજી લહેર જેટલી ભયાનક સ્થિતિ નહોતી કેમ કે દર્દીઓ પણ ઝડપી વધી રહ્યા હતા.
અત્યારની જો વર્તમાન કોરોના ની સ્થિતિ દેશની જોવા જઈએ તો 1000 આસ પાસ કેસો આવી રહ્યા છે.