અમિત શાહ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. ત્યારે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહેલા અમદાવાદમાં પહોંચ્યા હતા.અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સ્પિચ લેન્ગવેજ,પેથોલોજી કોલેજ અને ગરીબ જરૂરિયાત મંદો માટે ભોજન વ્યવસ્થાનો શુભારંભ તેમને આ કાર્યક્રમ થકી કરાવ્યાે હતો. ખાસ કરીને અમદાવાદમાં તેમના હસ્તે 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા અને આગામી સમયમાં શરૂ થવા જઈ રહેલા 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટ બનાવવામાં આવ્યા છે. જેમનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમના હસ્તે કરવામાં આવશે. હાઉસિંગ, બિલ્ડીંગ, ગાર્ડન વગેરેનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે.
જાે કે પહેતા તેમને અમદાવાદ સોલા સિવિલની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત તેમની આજના દિવસની અહીંથી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ તેમના મતક્ષેત્રની અંદર પણ જશે જ્યાં વિવિધ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. સાંજે 5 કલાકે તેઓ ફરી અમદાવાદ પરત આવશે અને જી.ડી પાર્ટી પ્લોટ સોલા અમદાવાદ ખાતે એ.એમ.સી દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવશે.