રાત્રે સુતા પહેલા તમે પણ પાણી પીતા હોય તો આ વાત ખાસ જાણી લો, નહીં તો…આપણા દેશમાં દેશી રીતો જ કામ આવી શકે. જેમ કે સવારની શરૂઆત બેડ ટી અથવા કોફીથી કરવાના બદલે હુંફાળું કે થોડું ગરમ પાણી પીને કરવાથી તમારું જીવન ચમત્કારી રૂપથી બદલાઈ શકે છે. ખાલી પેટે હુંફાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયક હોઈ શકે છે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આ સાથે જ રાત્રે સુતા પહેલા પાણી પીવુ જોઈએ કે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.આવો જાણીએ કે રાત્રે સુતા પહેલા પાણી પીવુ જોઈએ કે નહીં…આપણું 70 ટકા શરીર પાણીથી બનેલું છે. જેથી યોગ્ય માત્રામાં પાણી લેવું ખુબ જ જરૂરી છે. જો પુરતા પ્રમાણમાં પાણી નહીં લો તો શરીર ડિહાઇડ્રેટ થઈ જશે. સાથે જ અનેક સમસ્યા પણ આવશે.ૉરાત્રે પાણી પીવું કે નહીં?નિષ્ણાંતોનું માનવું છે કે રાત્રે સૂતા પહેલા પાણી પીવું જરૂરી છે. કારણ કે તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. આ ઉપરાંત પાણીને કારણે વિટામિન અને મિનરલ્સ પણ શરીરમાં શોષાય છે. પાણી પીવાથી મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને ટોક્સિન્સ અને વેસ્ટ પ્રોડક્ટ્સને બહાર કાઢવામાં કોઈ સમસ્યા નથી થતીરાત્રે નવશેકું પાણી પીવાથી શરીતનું તાપમાન વધી જાય છે, જેથી શરીરનું મેટાબોલિક રેટ વધી જાય છે. મેટાબોલિક રેટ વધવાથી કેલરી બર્ન કરવામાં શરીરની ક્ષમતા વધે છે. રાત્રે સુતા પહેલા તમે લીંબુ પાણી, ગ્રીન ટી, હર્બલ ટી અને અન્ય હેલ્ધી પીણાં પી શકો છો.રાત્રે પાણી પીવાથી શરીર સાફ રહે છે. અને ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને ભોજન બરાબર પચી જાય છે. જેમને એસિડિટી કે ગેસની સમસ્યા હોય તેમણે રાત્રે પાણી અવશ્ય પીવું જોઈએ.