Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ડાબા પડખે ઊંઘવાથી નથી થતી આ તકલીફો, ફાયદાઓ જાણીને તમે પણ છક થઇ જશો

ઊંઘવાના પણ અનેક ફાયદાઓ હોય છે. જો કે આજકાલ અનેક લોકોને રાત્રે ઊંઘ આવતી હોતી નથી, જેને અનિદ્રા પણ કહી શકાય છે. આ ફાસ્ટલાઇફમાં અનેક લોકો અનિદ્રાના રોગથી પીડાતા હોય છે. એક્સપર્ટ અનુસાર તમારે દિવસમાં ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંધ હોવી ખૂબ જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી ના થાય તો તમને એની અનેક સાઇડ ઇફેક્ટ્સ થવા લાગે છે.
જો કે આજે અમે તમને જણાવી દઇએ કે ઊંઘવામાં પણ તમે ડાબા પડખે સુઇ જાવો છો તો તમારી હેલ્થને અનેક ઘણાં ફાયદા થાય છે. ડાબા પડખે સુવાથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો અને સાથે તમે અનેક રાહત પણ અનુભવો છો. તો જાણી લો તમે પણ ડાબા પડખે સુવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે…
પેટ સંબધીત રોગોમાં રાહત
જો તમે ડાબા પડખે ઊંઘો છો તો પેટ સંબંધીત રોગોમાં તમને રાહત મળે છે. ડાબા પડખે સુવાથી પેટ ફુલતુ નથી અને મળત્યાગ જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
ડરામણાં સપના ઓછા આવે
એક સંશોધન અનુસાર જો તમે ડાબા પડખે સુઇ જાવો છો તો તમને ડરામણાં સપના ઓછા આવે છે. જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો તમે ડાબા પડખે સુઇ જાવો અને ભગવાનનું સ્મરણ કરો. આમ કરવાથી તમને રાત્રે ઊંઘ આવે છે અને ડરામણાં સપના પણ આવતા નથી.
સ્વાદુપિંડ સારું કામ કરે
જો તમે રાત્રે ડાબા પડખે સુઇ જાવો છો તો સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરે છે. આ સાથે જ તમારી પાચનશક્તિ મજબૂત પણ થાય છે. જો તમને પાચન સંબધિત કોઇ તકલીફ હોય તો તમે રોજ રાત્રે ડાબા પડખે સુઇ જાવો.
ચરબી ઓછી જમા થાય
જો તમે દરરોજ રાત્રે ડાબા પડખે સુઇ જાવો છો તો શરીરમાં ચરબી જમા થતી નથી, જેના કારણે તમે મેદસ્વીતાથી બચી શકો છો.

संबंधित पोस्ट

એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ? WHO માર્ગદર્શિકા શું કહે છે તે શોધો

Karnavati 24 News

જાણો ભારત દેશની અંદર નેત્રદાન કેટલું થઈ રહ્યું છે, કેટલા લોકો કોર્નિયાની બીમારીનો સામનો કરી રહ્યા છે

Karnavati 24 News

બિહારમાં એકસાથે ગરમી, વરસાદ : તડકો થી થશે ભારે ગરમી, વરસાદ પછી ઉમસ કરશે હેરાન; 48 કલાક એલર્ટ

Karnavati 24 News

તમારા બાળકને વારંવાર કાનમાં ખંજવાળ આવે છે? તો પહેલા જાણી લો આ કારણો, નહિં તો..

Karnavati 24 News

સતત લેપટોપ સામે બેસીને ડોક અને પીઠ રમણ ભમણ થાય છે? તો અપનાવો આ ઉપાય…

Karnavati 24 News

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

Karnavati 24 News
Translate »