Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

તાજેતરમાં રાજકોટના પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સામે ગેરકાયદેસર વસૂલી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે આ મામલે આમ આદમી પાર્ટી આક્ષેપ કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ વિભાગમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું નથી અને ભ્રષ્ટાચાર જ વહીવટી કામો ના પર્યાય બની ગયો છે જનપ્રતિનિધિઓ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી આ મામલે જુનાગઢ આમ આદમી પાર્ટીએ એસપી મારફત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ને આવેદનપત્ર આપી વસૂલી અને ભ્રષ્ટાચાર માં લિપ્ત પોલીસ અધિકારીઓની ડિસમિસ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે જુનાગઢ આમ આદમી પાર્ટીના આગેવાનો એ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય દરવાજાથી રેલી કાઢી અને કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક અસરથી રાજકોટ માં જે પોલીસ અધિકારીઓ પર આક્ષેપ થયા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગણી કરી છે સમગ્ર ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી માંગ કરી છે

संबंधित पोस्ट

દેવગઢબારીયા વિધાનસભા ચૂંટણી માટે ત્રી પાંખિયો જંગ જામવા ના એંધાણ : નેતાઓ લોકસપર્ક માં કાર્યરત.

Karnavati 24 News

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

નરેશ પટેલ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઇ

Karnavati 24 News

उत्तराखंड सीटों पर मतगणना जारी, सामने आ रहे रुझानों में भाजपा इतनी सीटों पर आगे

Karnavati 24 News

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

Karnavati 24 News
Translate »