Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

તાજેતરમાં રાજકોટના પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સામે ગેરકાયદેસર વસૂલી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે આ મામલે આમ આદમી પાર્ટી આક્ષેપ કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ વિભાગમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું નથી અને ભ્રષ્ટાચાર જ વહીવટી કામો ના પર્યાય બની ગયો છે જનપ્રતિનિધિઓ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી આ મામલે જુનાગઢ આમ આદમી પાર્ટીએ એસપી મારફત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ને આવેદનપત્ર આપી વસૂલી અને ભ્રષ્ટાચાર માં લિપ્ત પોલીસ અધિકારીઓની ડિસમિસ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે જુનાગઢ આમ આદમી પાર્ટીના આગેવાનો એ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય દરવાજાથી રેલી કાઢી અને કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક અસરથી રાજકોટ માં જે પોલીસ અધિકારીઓ પર આક્ષેપ થયા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગણી કરી છે સમગ્ર ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી માંગ કરી છે

संबंधित पोस्ट

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Karnavati 24 News

મિશન સૌરાષ્ટ્રને લઈને કેજરીવાલનો ફરી કાઠીયાવાડનો પ્રવાસ, બીજેપી-કોંગ્રેસની ચિંતા વધારી શકે છે

Karnavati 24 News

યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએમ બનશે કે નહીં? શું કહે છે તેમની કુંડળી?

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

Karnavati 24 News

Nishikant Dubey News: दिल्ली विश्वविद्यालय ने साफ किया, निशिकांत दुबे नहीं रहे हैं उनके छात्र

Admin

“રાહુલ ગાંધીના શબ્દોથી દેશનું માથું શરમથી ઝુકી ગયું”: CM શિવરાજ

Karnavati 24 News