Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

આ રીતે ચોખાના લોટમાંથી બનાવો હેર માસ્ક+ફેસ પેક, આ બધી સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

 

ચોખાના લોટમાં વિટામિન બી, ફોલેટ, આયરન, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા અનેક તત્વો રહેલા હોય છે. ચોખાનો લોટ ડેડ સ્કિન સેલ્સ સાફ કરીને ચહેરા પર નેચરલ રીતે ગ્લો લાવવાનું કામ કરે છે. આ સાથે જ વાળને મજબૂત કરવાનું પણ કામ કરે છે. ચોખાનો લોટ વાળને સિલ્કી, મુલાયમ અને શાઇન કરવાનું કામ કરે છે. તો જાણી લો તમે પણ ચોખાના લોટને વાળમાં અને ફેસ પર કેવી રીતે ઉપયોગ કરશો.

ચોખાનો લોટ અને દહીં

તમે ચોખાના લોટમાંથી ફેસ પેક બનાવીને મોં પરની અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો. આ ફેસ પેક ડેડ સ્કિનને દૂર કરીને સ્કિનને ક્લિન અને સોફ્ટ કરવાનું કામ કરે છે. આ સાથે નેચરલ ગ્લો પણ લાવે છે.

આ રીતે ઘરે બનાવો ફેસ પેક

આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકીમાં ચોખાનો લોટ અને જરૂરીયાત મુજબ દહીં લો અને આ મિશ્રણને બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર સ્ક્રબની જેમ ઘસો અને પછી મોં ધોઇ લો. 20 મિનિટ આ પ્રોસેસ કરો અને પછી ફેસ ધોઇ લો.

ચોખાના લોટમાંથી આ રીતે બનાવો હેર માસ્ક

ચોખાના લોટમાંથી તમે હેર માસ્ક પણ બનાવી શકો છો. આ હેર માસ્ક લગાવવાથી વાળ મજબૂત થાય છે અને સાથે સિલ્કી પણ થાય છે. આ માસ્ક બનાવવા માટે એક વાટકીમાં ચોખાનો લોટ અને એવોકાડો બરાબર માત્રામાં મિક્સ કરો. ત્યારબાદ આ તૈયાર પેસ્ટને સ્કેલ્પથી લઇને પૂરા વાળમાં લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો અને પછી હેર વોશ કરી લો. આ પ્રોસેસ તમારે મહિનામાં 4-5 વાર કરવાની રહેશે.

संबंधित पोस्ट

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Admin

स्मार्ट इंडिया हैकथॉन 2022: अगर आपके पास कोई इनोवेशन आइडिया है, तो स्मार्ट इंडिया हैकथॉन 2022 के लिए आज ही रजिस्टर करें

Karnavati 24 News

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતા અત્યાચાર મામલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન

Karnavati 24 News

मेरठ – पुलिस ने छापा मारकर नकली स्टेरॉयड व फूड सप्लीमेंट किए बरामद

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ BIMSTEC યુથ સમિટનો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, 7 સભ્ય દેશના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાઓની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

Karnavati 24 News

SupriyaShrinate जी

Karnavati 24 News
Translate »