Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 મધ્ય ગુજરાતમાં ભારે રસાકસી, વડોદરાની 260 અને છોટાઉદેપુરની 230 પંચાયતોની મતગણતરી

વડોદરા જિલ્લામાં કયા ગામમાં કોણ બન્યું સરપંચ? -કરજણના કંઠારીયા ગામના દક્ષાબેન રબારીનો વિજય -કરજણના સંભોઇ ગામના શૈલેષભાઇ પઢીયારનો વિજય -કરજણા શનાપુરા ગામમાં કૌશિકભાઇ પટેલનો વિજય -સાવલીના રસાવાડી ગામમાં દશરથસિંહ રણછોડસિંહ પરમારનો વિજય -સાવલીના અદલવાડા ગામમાં નરેન્દ્રકુમાર વિષ્ણુભાઈનો વિજય -વાઘોડિયાના અડીરણ ગામ સવિતાબેન નાયકનો વિજય -પાદરાના મેઢાદ ગામમાં 5 મતનો તફાવત હોવાથી રિકાઉન્ટીંગ બાદ સંદિપભાઇ પટેલનો વિજય -પાદરાના ગયાપુરામાં કમલેશ પટેલનો વિજય -સાદડમાં કંચનભાઇનો ગોહિલનો વિજય -પાદરાના સાંપલા ગામમાં યોગેશભાઈ પટેલનો વિજય. -પાદરાના કલ્યાણકુઇમાં સરપંચના ઉમેદવાર અનિતાબેન ગોહિલનો વિજય -પાદરાના અંબાડા ગામમાં સીમાબેન નીતિનભાઈ પટેલનો વિજય -પાદરાના સાંપલા ગામમાં ઉમેદવાર યોગેશભાઈ પટેલનો વિજય છોટાઉદેપુર 230 ગ્રામપંચાયતોની મતગણતરી શરૂ- છોટાઉદેપુર જિલ્લાની 230 ગ્રામપંચાયતોની મતગણતરી પણ શરૂ થઇ ગઇ છે. સંખેડા તાલુકા સેવાસદન ખાતે સંખેડા તાલુકાની 35 ગ્રામપંચાયતોની મત ગણતરી શરૂ થઇ છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં મોડેલ એશ્રા પટેલના પરિણામ પર સૌ-કોઇની નજર મંડાયેલી છે. વડોદરાના સંખેડા તાલુકા સેવાસદન ખાતે સંખેડા તાલુકાની 35 ગ્રામપંચાયતોની મત ગણતરી શરૂ થઇ છે. વડોદરા તાલુકાની દશરથની એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે મતગણતરી થઇ રહી છે. આ ઉપરાંત પાદરા, કરજણ, શિનોર, ડભોઈ, વાઘોડિયા, સાવલી અને ડેસર સહિત તાલુકા કક્ષાએ આઠ સ્થળોએ 27 હોલમાં કરવામાં આવી રહી છે. મતગણતરી માટે 136 ટેબલ રાખવામાં આવ્યા છે. દશરથ બ્રિજના છેડા પાસે આવેલી એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે અનગઢ, કોટણા, દામાપુરા, સાંકરદા, નંદેસરી, ધનોરા, બાજવા, તલસટ, ખલીપુર, મારેઠા અને સયાજીપુરા ગામની ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાનની મતગણતરી થઇ રહી છે. શહેર પોલીસ કમિશનરે દશરથ બ્રિજ નીચેથી ફર્ટીલાઈઝર બ્રિજ સુધી રોડની બન્ને તરફ વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. આ વખતની ગણતરીમાં પણ બેલેટ હોવાથી બીજા દિવસે પરિણામ જાહેર કરાય તેવી શકયતા છે પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, NH-48નો સર્વિસ રોડ-દશરથ બ્રિજ પાસેના એચ.પી.પેટ્રોલપંપથી જીપ કંપનીના શો-રૂમ સુધીનો સર્વિસ રોડ વાહનો માટે પ્રતિબંધીત રહેશે. વાહનો નેશનલ હાઈવે-48 પરથી અમદાવાદ વડોદરા ઉપરાંત સુરત તરફ જઈ શકશે. જીએસએફસી કંપની તરફથી દશરથ બ્રિજ તરફ આવતો સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં વર્ષ 2016ની સરખામણીએ વર્ષ 2021ની ચૂંટણીમાં 1.04 ટકા મતદાન ઓછું નોંધાયું છે. વર્ષ 2016માં 263 ગ્રામપંચાયતોની ચૂ્ંટણીમાં 83.13 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2021માં 82.09 ટકા મતદાન થયું છે. બંને ચૂંટણીમાં પાદરા તાલુકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. વર્ષ 2016 અને વર્ષ 2021ની મતદાનની ટકાવારી: વર્ષ 2016માં મતદાન કેટલું થયું હતું? તાલુકો પંચાયત મતદાન વડોદરા 42 81.93% પાદરા 27 87.70% કરજણ 17 85.04% શિનોર 28 78.86% ડભોઈ 51 82.77% વાઘોડિયા 41 85.25% સાવલી 44 82.66% ડેસર 13 83.09% કુલ 263 83.13% વર્ષ 2021માં મતદાન કેટલું થયું હતું? તાલુકો પંચાયત મતદાન વડોદરા 39 80.21% પાદરા 24 87.04% કરજણ 22 83.03% શિનોર 26 78.96% ડભોઈ 51 80.24% વાઘોડિયા 38 83.07% સાવલી 46 83.75% ડેસર 14 81.31% કુલ 260 82.09%

संबंधित पोस्ट

सरकारी नौकरी : पटना हाईकोर्ट ने लॉ असिस्टेंट के पदों पर भर्ती की है, उम्मीदवारों के आवेदन करने की आखिरी तारीख 23 जून है.

Karnavati 24 News

मोगा जिले में शास अभियान कार्यक्रम 28 फरवरी 2023 तक जारी रहेगा

Admin

 અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Karnavati 24 News

इंडियन बैंक ने भरे हैं 312 पद, अफसर बनने का सुनहरा मौका, 63 से 90 हजार तक होगी सैलरी

Karnavati 24 News

13 साल की बच्ची को चाकू से बेरहमी से पीटा: मेरा चचेरा भाई पढ़ाने के बहाने अपने देवर को गांव से उदयपुर ले आया;

Karnavati 24 News

आजादी का अमृत महोत्सव कार्यक्रम के तहत साइकिल रैली का हुआ आयोजन, डीसी ने लोगों से की अपील

Karnavati 24 News