Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

 

આવેદનપત્ર સુપ્રત કરનાર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લોક નેતા પર હુમલો થાય એ આદિવાસી સમાજ માટે ખુબજ આઘાત જનક બાબત હોવાનું જણાવી રજુઆત કરી હતી. જેમાં આદિવાસી સમાજ એટલો પણ પાંગળો નથી કે હુમલો કરનાર ને એમની ભાષા માં જવાબ ન આપી શકે પરંતુ આદિવાસી સમાજ કાયદો અને વ્યવસ્થા નું ધ્યાન રાખે છે તેવો સુર વ્યક્ત કરી હુમલો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો એમાં કૈક ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસી સમાજ ના લોકનેતા ના ન્યાય માટે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર રસ્તા પર ઉતરતા પણ ખચકાશે નહિ તેવી ચીમકી આપી હતી. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદના પ્રમુખ કમલેશભાઈ, સરપંચ નવીન પવાર, કમલેશ બી.પટેલ, મુકેશ પટેલ, વિમલ પટેલ, હેમંત પટેલ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

પોલીસે વિદેશીદારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડયો એક ની અટકાયત પાંચ વોન્ટેડ

Admin

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માંથી લાખો ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

 દિલ્હીના વેપારીને રૂ. 10 કરોડની લોન અપાવવાના ઝાંસામાં લઇ રૂ. 40 લાખ પડાવ્યા

Karnavati 24 News

જૂનાગઢના માખિયાળામાં ટ્રસ્ટની ઓફિસના તાળા તોડીને સાહિત્યની ચોરી કરનાર 12 ઈસમો સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

 માણેકવાડામાં ઝેરી દવા પી લેનાર માતાના સ્તનપાનથી પુત્રીને ઝેરની અસર થતા મોત

Karnavati 24 News

મોરબીના સરતાનપર ગામ જવાના રસ્તેથી ટ્રકમાં દારૂ-બીયર સાથે બે ઝડપાયા, ફરિયાદ નોંધાઈ

Karnavati 24 News