Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 પુત્રીને પુરી રાખવા માટે માતા-પિતાએ ખાટલા પર જ બનાવી દીધી જેલ

: મહિલાના પરિવારે તેમના જમાઈ પાસે દાવા પેટે રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા જમાઈ આપી ન શકતા મહિલાના માતા-પિતાએ તેને પિયરમાં બોલાવી ખાટલા સાથે બાંધી દિધી હોવાનું સામે આવ્યુ છે. પોતાની પત્નીને છોડાવવા ગયેલા પતિને પણ તેના સાસરીવાળાએ માર માર્યો હતો. જો કે આ મામલે મહિલાના પતિએ 181 મહિલા હેલ્પ લાઈન(અભયમ) પાદરોનો સંપર્ક સાંધી તેની પત્નીને છોડાવી હતી. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર નજીક આવેલ પાદરા ખાતે રાજસ્થાની પરિવારે પોતાની દિકરીના લગ્ન સમાજના રીતી રિવાજ મુજબ કરાવ્યા હતા. અને તે લગ્નજીવન દરમિયાન મહિલાને બે દિકરીનો જન્મ થયો હતો. પરંતુ મહિલાને દિકરાનો જન્મ ન થતા તેના પહેલા પતિએ છુટાછેડા આપી દિધા હતા. ત્યારબાદ મહિલા તેના માતા-પિતા સાથે રહેતી હતી. જો કે મહિલાના માતા-પિતાએ બીજા યુવક સાથે તેના પુનઃ લગ્ન કરાવી દિધા હતા અને તેના દાવા પેટે રૂ.20 હજારની માંગણી કરી હતી. આ દાવાની માંગણીની રકમ ચુકવવા મહિલાના પતિએ થોડી મદ્દત માંગી હતી. પરંતુ તે રકમ આપી શક્યો ન હતો. જેથી મહિલાના પિતાએ જમાઈને જણાવેલ કે, તે રકમ આપશે તો જ પોતાની દિકરીને સાસરીમાં મોકલશે તેમ કહી દિકરીને સાસરીમાંથી પિયરમાં બોલાવી લીધી હતી. જ્યાં મહિલાનો પતિ તેણી પત્નીને લેવા સાસરીમાં પહોંચ્યા હતો અને સાથે રહેવા તેના સસારા પાસે માંગ કરી હતી. પરંતુ તેમના સસારાએ દિકરીને સાસરીમાં મોકલવાની ના પાડી દિધી હતી. તો બીજી બાજુ મહિલાએ પોતે તેના પતિ સાથે રહેવા જવાની તૈયારી કરતા તેણા પરિવારે તેને દોરીથી ખાટલા સાથે બાંધી હતી.

 

संबंधित पोस्ट

સુરતની કોર્ટે ફેનિલને ફટકારી મોતની સજા, કહ્યું- કોર્ટ જુએ છે યુવાનો પરની વેબસિરીઝ

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

Karnavati 24 News

સાવરકુંડલામાંથી કપાસની ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા

Karnavati 24 News

વેરાવળના આંબલીયાળા ગામના આધેડ પર ફાયરીંગ કરી નાશી જનાર આરોપી ઝડપાયો

જૂનાગઢના સરદારબાગ નજીક ગૃહંકાસ અને નબળી આર્થિક હાલત થી કંટાળી યુવકનો આપઘાત

Karnavati 24 News

ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચ માંથી ત્રણ આરોપી ઝડપાયા, ત્રણેય આરોપીને સબજેલમાં મોકલાયા

Admin
Translate »