Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મોરબીમાં મચ્છુ ડેમ 2ના દરવાજા રીપેરીંગ માટે આજે ખોલવામાં આવશે



મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા

(જી.એન.એસ) તા.1

મોરબી,

મોરબીમાં મચ્છુ 2 ડેમનાં 2 દરવાજા આજે 2 ફુટ ખોલવામાં આવશે. 1300 ક્યુસેકથી તબક્કા વાર 3500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા છે.

મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રીપેરીંગકામ માટે ખાલી કરવામાં આવશે. આવતીકાલથી તબક્કાવાર ડેમ ખાલી કરવાની શરૂઆત કરાશે. આવતીકાલે બપોરે 4 વાગ્યે બે દરવાજા બે ફૂટ ખોલી 1300 ક્યુસેક પાણી છોડવામાં આવશે. બાદમાં તબકકાવાર વધારીને 3500 ક્યુસેક પ્રવાહ પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ અપાયું છે.

મોરબી તાલુકાના, જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા,રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, સોખડા, અમરનગરનો સમાવેશ થાય છે. માળીયા તાલુકાના વીરપરડા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપુર, સોનગઢ, માળીયા (મી) ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ના કરવા સૂચના અપાઈ છે.

મોરબીના જોધપર, લીલાપુર, ભડીયાદ, ટીંબડી,ધરમપુર, નવાં સાદુળકા ગામ સહિત 20 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. માળિયાના વીરવદરકા,દેરાળા, નવાં ગામ,મેઘપર હરીપર સહિત 9 ગામો એલર્ટ કરાયા છે. મચ્છુ ડેમ 2ના ગેટના દરવાજા રીપેરીંગ માટે ડેમ ખાલી કરાશે. તમામ ગામોનાં સરપંચોને જાણકારી આપીને એલર્ટ કરાયા છે. ડેમ હેઠવાસના ગામોનાં લોકોને નદીનાં પટમાં અવરજવર નહીં કરવા અપીલ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

રાજયની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા રાજયપાલશ્રીનું આહવાન

Gujarat Desk

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News

ભાવનગર જીલ્લા ના સિહોર ખાતે આજે કોળી સમાજ આગેવાનોએ આક્રોશ ભેર રજુઆત કરીલ હતી . કલ હમારા યુવા સંગઠન પ્રમુખ વિજય બારેયાના સમર્થનમાં રસ્તા પર ઉતરી જવાની વાત કરી છે . .

Karnavati 24 News

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Gujarat Desk

લીંબડી સર્કિટ હાઉસ પાસે કાર પલ્ટી મારી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું

Karnavati 24 News

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News
Translate »