Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કાળઝાળ ગરમીથી લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથેના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓને મળશે આંશિક રાહત



જામનગર મહાનગર પાલિકા દ્વારા પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે દિવસમાં ત્રણ વખત પાણી છંટકાવ કરવામાં આવશે

(જી.એન.એસ) તા. 27

જામનગર,

જામનગર મહાનગર પાલિકા દ્વારા લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથે ના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓ આવેલા છે જેમને કાળઝાળ ગરમીની ઋતુમાં રાહત મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને પ્રતિદિન દિવસમાં ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથે ના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓ આવેલા છે. ખાસ કરીને બજરીગર, લવબર્ડ, કાકાટીલ, બતક, પોપટ સહિતના નાની મોટી અનેક પ્રજાતિના ડોમેસ્ટિક સહિતના પક્ષીઓને રાખવામાં આવ્યા છે, અને પ્રજાજનો પ્રતિદિન લાખોટા તળાવની મુલાકાત લે છે.

વધુમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોવાથી ઋતુને અનુરૂપ ખોરાક પણ અપાઈ રહ્યો છે. જેમાં તરબૂચ સહિત ના ફળ ફ્રૂટ વગેરે આપીને પક્ષીઓને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થા કરાય છે. તેમજ ઉનાળામાં પક્ષીઓ પાણી વધારે પીએ તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથો સાથ તડકોના લાગે તે માટે પાંજરા ઉપર પ્લાસ્ટિક સહિતના આવરણો પણ ઢાંકવામાં આવી રહ્યા છે.

संबंधित पोस्ट

બ્રેકિંગ :- બોટાદ ઝેરી લઠ્ઠાકાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી

Karnavati 24 News

રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો(L&T)એ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં MoU કર્યા

Gujarat Desk

ગુજરાતથી પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો; 2ના મોત, 3ને ગંભીર ઈજા

Gujarat Desk

બાવળાનાં ઢેઢાળમાં એક કેમિકલ ફેક્ટરીમાં 2 શ્રમિકનાં મોત થતાં ચકચાર મચી ગયો

Gujarat Desk
Translate »