Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

આ અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ₹58.47 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે ₹3.98 કરોડ, રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે ₹212.50 કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે ₹35 કરોડ ઉપરાંત, નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે ₹13.35 કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે ₹11.69 કરોડ મળીને કુલ ₹25 કરોડ ફાળવવામાં આવશે.

આ ઉપરાંત, રાજ્યની અન્ય સાત નગરપાલિકાઓમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના 10 કામો માટે ₹1.52 કરોડ, પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના 166 કામો માટે ₹11.61 લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે ₹55.86 કરોડ, સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે ₹3.56 કરોડ તેમજ આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને ₹1.91 કરોડ તથા કેશોદને ₹5.99 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને ₹131.76 કરોડ તથા કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસાને કારણે નુકસાન પામેલા માર્ગોના રિસરફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે ₹1.70 કરોડ ફાળવવામાં આવશે.

संबंधित पोस्ट

हरियाणा के पूर्व सीएम ओमप्रकाश चौटाला ने अधिक संपत्ति मामले में दोषी ठहराया, एवेन्यू कोर्ट का फैसला

Karnavati 24 News

राजस्थान – सीकर में दलित छात्र की बेरहमी से पिटाई,

Karnavati 24 News

चाणक्य नीति जगहों के बारे में : ऐसी जगहों को तुरंत छोड़ दें, नही तो जान भी जा सकती है।

Karnavati 24 News

AAP ધારાસભ્ય નો શ્રી Umesh Makwana એ મુખ્યમંત્રીને પત્ર

Karnavati 24 News

 સેકન્ડ હેન્ડ એક્ટિવા ખરીદતા એરફોર્સના જવાન સાથે છેતરપિંડી

Karnavati 24 News

પાકિસ્તાને 8 ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી લીધા, ગોળીબારની પણ શંકા છે

Karnavati 24 News
Translate »