Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ધરમપુરના બિલપુડી ખાતે વનસેવા મહાવિદ્યાલય ખાતે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવા ઓરડાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યુ

આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ સંસ્થાના પ્રમુખને મહાવિદ્યાલયના વિકાસમાં સારી કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિસ્તારોમાં નવી આશ્રમશાળાઓ, આશ્રમશાળાઓ નું નવીનીકરણ અને બીજી અનેક સુવિધાઓ પૂરી પાડી રહી છે. આ મહાવિદ્યાલય દ્વારા શિક્ષણ પૂરું પાડી આ સંસ્થા સારું કામ કરી રહી છે આ કામમાં સરકાર પણ સંસ્થાને શ્રેષ્ઠ સ્થાને લઇ જવા દરેક ક્ષેત્રે સાથ આપશે. આ સંસ્થાના વિકાસ કાર્ય માટે હું નિમિત્ત માત્ર છું. પ્રાકૃતિક ખેતી ભવિષ્યનો સૌથી સારો વિકલ્પ છે ત્યારે આ સંસ્થા પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉચ્ચ કામ કરે તેવી શુભકામના પાઠવું છું. ગણદેવી, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યોએ પ્રાસંગિક ઉદબોધનમાં આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કામગીરી કરી રહેલી ગ્રામ સેવા સભાના સંસ્થાપક સ્વ.નાનુભાઈ દેસાઈના આ ઉત્તમ કાર્યને બિરદાવ્યું હતું.તેમજ સંસ્થા હજી પણ વધુ પ્રગતિ કરી સેવા કાર્ય કરતી રહે એવી શુભકામના પાઠવી હતી. સંસ્થાના પ્રમુખ  અને કપરાડાના માજી ધારાસભ્ય માધોભાઈ રાઉતે સંસ્થાના નવીનીકરણ માટે ન્યુ ગુજરાત પેટર્ન ૧૦  ટકા રાજ્ય કક્ષા યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવા બદલ મંત્રીશ્રી અને પૂર્વમંત્રીશ્રીઓ સહિત દરેક સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

संबंधित पोस्ट

‘રાષ્ટ્રપતિનું આ પહેલું સંબોધન…’, સંસદમાં વિપક્ષના હંગામાથી પ્રહલાદ જોશી નારાજ

Admin

શું રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ જશે? બીજેપી સાંસદની માંગ, 1976માં સુબ્રમણ્યમ સ્વામીની હકાલપટ્ટીનું ઉદાહરણ આપ્યું

Karnavati 24 News

एथलीट पीटी उषा और संगीत मास्टरो इलैयाराजा राज्यसभा के लिए नॉमिनेटेड

Karnavati 24 News

लखनऊ : सीएम योगी ने अखिलेश द्वारा मुलायम की जगह प्राप्त किया पद्म विभूषण अवार्ड का वीडियो किया ट्वीट

Admin

बीजेपी का मिशन यूपी: सोनिया गांधी की सीट समेत 15 सीटों पर ‘शाह नीति’

Karnavati 24 News

આજે ભાજપમાં જોડાઈ શકે છે કન્નડ ફિલ્મ સ્ટાર કિચ્ચા સુદીપ, કર્ણાટક ચૂંટણીમાં ભગવા પાર્ટીને આ રીતે થશે ફાયદો 

Admin